________________
૧૭. નિર્ભયાષ્ટક
૨ ૩૭.
મહાત્માઓએ મોહરાજાને પરાજિત કરી દીધા છે. એમને પરાજિત કરવા માટે એમના કરતાં યે વધારે તીક્ષ્ણ શસ્ત્રો જોઇએ અને એટલું જ પરાક્રમ જોઇએ.
પ્રાચીન કાળમાં ભૂમિ યુદ્ધ હતું. (નૌકાયુદ્ધ કે હવાઈ યુદ્ધ નહોતાં). એમાં જેની પાસે સૌથી મોટી હસ્તિસેના હોય અને એમાં ઐરાવત જેવા હાથી હોય એ રાજા વિજયી થાય. પાયદળ અને અશ્વદળ કામ લાગતાં, પણ એક વખત રણભૂમિમાં હાથીઓએ દોડાદોડી કરી દીધી પછી બધા ભયથી ભાગે. તાલીમ પામેલો હાથી પરાક્રમે ચડે ત્યારે પાયદળનો કચ્ચરઘાણ નીકળે. તે એવો પરાક્રમી હોય કે ઝડપથી દોડીને પોતાના ગંડસ્થળથી દુશ્મનના કિલ્લાના દરવાજા પણ તોડી નાખે. મોટા રાજાઓ એક સાથે હજાર-બે હજાર હાથીઓને રણ મેદાનમાં ઉતારતા. એ બધાને દોરી જતો નાગેન્દ્ર ઘણો બળવાન હોય. એના ઉપર વિજયનો ઘણો આધાર રહેતો.
જે સેનાપતિ પાસે મંત્રેલું શસ્ત્ર હોય તેને કોઈ હરાવી ન શકે. મોહરાજા સાથેના યુદ્ધમાં મુનિ પાસે બ્રહ્માસ્ત્ર-બ્રહ્મજ્ઞાન નામનું એટલે કે પરમાત્મજ્ઞાન-સ્વરૂપ શસ્ત્ર હોય છે. મોહરાજા બળવાન, એનું સામ્રાજ્ય મોટું અને એના સેનાધિપતિઓ ઘણા, છતાં તેઓ કોઇની પાસે બ્રહ્માસ્ત્ર ન હોય. એટલે નાગેન્દ્રની જેમ મુનિ નિર્ભય બનીને મોહરાજાના સૈન્યને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરે છે.
આત્મજ્ઞાની મુનિને મોહરાજાનો પણ ભય હોતો નથી. [૧૩૩] મયૂરી જ્ઞાનશ્ચિ પ્રતિ મનોવને !
वेष्टनं भयसर्पाणां न तदाऽऽनन्दचंदने ।। १७ ।। ५ ।। [શબ્દાર્થ મયૂરી=મયૂરી, ઢેલ; જ્ઞાનવૃષ્ટિ =જ્ઞાનની દષ્ટિરૂપ; વે=જો; પ્રતિ=વિચરે છે; મનોવને મનરૂપી વનમાં, વેષ્ટ=વટાવું, મસTi=ભયરૂપી સાપોનું; નથી; તવ=તો; માનદ્વન્દને=આનંદ (આત્માનંદ) રૂપી ચંદનના વૃક્ષમાં.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org