________________
૨ ૩૬
જ્ઞાનસાર
પોતાના અનુભવ વડે જાણે છે. વળી પોતાના આત્મસ્વરૂપનું રક્ષણ કરવાને પોતે જ સમર્થ હોય છે. એટલે મુનિને ભયનું કોઈ કારણ નથી.
સંસારમાં મુનિ સર્વથા નિર્ભય હોય છે, કારણ કે તેઓ દેહભાવથી પર છે. એટલે જ તેમને મૃત્યુનો પણ ભય હોતો નથી. મેતારજ મુનિ, ગજસુકુમાલ મુનિ, ઝાંઝરિયા મુનિ વગેરે કેટલાં દૃષ્ટાન્ત જોવા મળે છે કે જેઓ મારણાન્તિક ઉપસર્ગ વખતે પણ ડગ્યા નથી. [૧૩૨] પદ્ધ બ્રહ્માસ્ત્રમાિય નિદન મોહબ્રૂ મુનિ !
बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ।। १७ ।। ४ ।। [શબ્દાર્થ પર્વ=એક; બ્રહ્માર્ટ્સ=બ્રહ્માસ્ત્રને, પરમાત્મસ્વરૂપ જ્ઞાનરૂપી શસ્ત્રને; આવાય=ગ્રહણ કરીને, ધારણ કરીને નિખન=હણતા; મોદામૈં મોહરૂપી લશ્કરને મુનિ =મુનિ; વિમેતિ=ભય પામે છે; ન નથી; =જેમ, પેઠે; સંગ્રામ=સંગ્રામ, યુદ્ધ; શીર્ષસ્થ=મોખરે રહેલા; વં=જેમ, પેઠે; નાગર ઉત્તમ હાથી]
અનુવાદ-એક બ્રહ્માસ્ત્ર (પરમાત્મસ્વરૂપ જ્ઞાનરૂપી શસ્ત્ર)ને ધારણ કરીને મોહરૂપી લશ્કરને હણતા મુનિ, સંગ્રામમાં મોખરે રહેલા ઉત્તમ હાથીની જેમ ભય પામતા નથી. (૪)
વિશેષાર્થ : સમસ્ત જગત ઉપર મોહરાજાનું સામ્રાજ્ય ચાલે છે. મોહરાજા સામે કોઈ બળવો પોકારે કે તરત મોહરાજા પોતાના સૈન્યને મોકલી આપીને તેને પરાજિત કરે છે. એમના સૈન્યમાં સ્વાર્થ, લોભ, લાલચ, કામવાસના, અભિમાન, ઇર્ષા, નિંદા, અસત્ય, ચોરી, માયા વગેરે સેનાપતિઓ છે. એમાં પણ મિથ્યાત્વનામનો સેનાધિપતિ તો અતિશય બળવાન છે. આ બધા સેનાપતિઓ યુદ્ધકલામાં નિપુણ છે. ભલભલા યોદ્ધાઓને તેઓ અલ્પ સમયમાં પરાજિત કરી દે છે. પણ એવું નથી કે મોહરાજા ક્યારેય પરાજિત ન થાય. અનાદિ કાળથી કેટલાયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org