________________
૧૭. નિર્ભયાષ્ટક
૨ ૩૫
ન=નથી; કવિ ક્યાંય; જ=ક્યાં; યેન=ભયથી; મુને =મુનિને; શેયં=રહેવા યોગ્ય; શેયં=જાણવા યોગ્ય; જ્ઞાનેન જ્ઞાન વડે, સ્વાનુભવ વડે; પશ્યત:=જોતા.]
અનુવાદ-જાણવા યોગ્યને જ્ઞાન વડે જાણનાર મુનિને ક્યાંય છુપાવવા યોગ્ય હોતું નથી, સ્થાપન કરવા યોગ્ય હોતું નથી તથા ક્યાંય છોડવા યોગ્ય કે દેવા યોગ્ય હોતું નથી, તો (તેમને) ભય વડે ક્યાં રહેવાનું હોય ? (૩)
વિશેષાર્થ : મુનિને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. પોતાની પાસે કંઈક છે અને તે કોઈ પડાવી જશે, લૂંટી જશે, ચોરી જશે, ખોવાઈ જશે ઇત્યાદિ પ્રકારનો ભય તેમને હોતો નથી. તેઓ સંસારના સ્વરૂપને અને આત્મસ્વરૂપનું જ્ઞાન વડે જાણતા હોય છે. મુનિ સદા નિર્ભય હોય છે.
મુનિને નિર્ભય રહેવાનાં ત્રણ મુખ્ય કારણ છેઃ (૧) તેમને સ્થૂલ પદાર્થ કે અંગત વાત જેવું, કંઈ છુપાવવા જેવું નથી. તેમનું જીવન કાચ જેવું પારદર્શક છે. તેમનું જીવન એટલે જાહેર જીવન. દિવસ-રાત ગમે ત્યારે એમને નિહાળવા હોય તો નિહાળી શકાય છે. એમની પાસે માત્ર એમનું જ્ઞાન છે. એ પણ છુપાવવા તેઓ ઇચ્છતા નથી.
(૨) તેમની પાસે કોઈ પદાર્થ, કોઈ ચીજ વસ્તુ ઇત્યાદિ એટલે કે સાચવવા માટે અથવા ક્યાંક છૂપી રીતે રાખી મૂકવા યોગ્ય કશું હોતું નથી. તેમની પાસે માત્ર તેમનું જ્ઞાન, તેમનું ચારિત્ર, તેમનું નિર્મળ, પારદર્શક જીવન હોય છે.
(૩) તેમની પાસે છોડી દેવા જેવું કે આપી દેવા જેવું કશું હોતું નથી. તેમણે જો કશુંક ગ્રહણ કર્યું હોય તો તે છોડી દેવું પડે. તેમણે છોડી દેવા યોગ્ય એવા પર-ભાવોને છોડી દીધા હોય છે. એટલે હવે તેમની પાસે કશું છોડી દેવાનું રહેતું નથી. જેઓ બધું છોડીને દીક્ષિત થયા હોય એમની પાસે હવે આપવા જેવી કોઈ માલ-મિલકત હોતી નથી. વળી પોતે વિકસાવેલા આત્મ ગુણો બીજાને લેવડદેવડની જેમ આપી શકાતા નથી. મુનિ જાણવા યોગ્ય વસ્તુને પોતાના જ્ઞાન વડે જાણે છે. તેઓ સ્વ-પર પદાર્થને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org