________________
૨૩૪
જ્ઞાનસાર
[શબ્દાર્થ વિસૌયેન=સંસારના સુખથી; ત્રિશું; મૂરિ=ઘણા; મયર્વતન=ભયરૂપ અગ્નિથી; મમ્રના=ભસ્મ થયેલા; સા=હંમેશાં; જયોતિ =ભયરહિત; જ્ઞાનકુવમે=જ્ઞાનસુખ જ; વિશિષ્યતે સર્વથી અધિક છે, ચડિયાતું છે, સર્વોપરી છે.]
અનુવાદ–બહુ ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખોથી શું (પ્રયોજન છે) ? સદા ભયથી રહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે. (૨)
વિશેષાર્થ: આખું જગત ભૌતિક સુખો ભોગવવા માટે દોટ મૂકી રહ્યું છે. બીજી બાજુ આ સંસાર દુઃખોથી એટલો જ ભરેલો છે. તો પછી પ્રશ્ન થાય છે કે આ બધાં દુઃખો આવે છે ક્યાંથી ? વસ્તુતઃ જ્યાં સુખ છે ત્યાં એની સાથે દુઃખ જોડાયેલું જ રહે છે. ભૌતિક સુખની સાથે દુઃખનો ભય સૂક્ષ્મ રીતે સંકળાયેલો હોય જ છે. માણસે ઘણી બધી સંપત્તિ એકઠી કરી તો એની સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, વેપારધંધામાં નુકસાન થવાનો, ધરતીકંપ, આગ, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિમાં નાશ પામવાનો ભય રહે છે. સાંસારિક સુખ મેળવતી વખતે બીજા ઝૂંટવી ન જાય, માલિકીનો ખોટો હક્ક કરતા ન આવે, સરકારી અધિકારીઓ સતાવે નહિ વગેરે જાત જાતના ભય રહેલા છે. આમ, સંસારનું સુખ ભયરૂપી અગ્નિથી બળી ગયેલું હોય છે.
પરંતુ સાચું તાત્ત્વિક સુખ એ કે જેની આસપાસ કોઈ ભય આવી શકે નહિ. આત્મજ્ઞાન રૂપી સુખ એ પ્રકારનું છે કે જેને કોઈપણ પ્રકારનો ભય ત્રણે કાળમાં હોતો નથી. આ આત્મસુખ વહેંચવામાં અડધું નથી થતું પણ બમણું થાય છે. [૩૧] શોધ્યું વવાપિ નારોથં ચં ચં ચરિત્T
વવ મન મુને: યં જ્ઞાનેન પશ્યત: || ૨૭ / રૂ II [શબ્દાર્થ ને મૅ=છુપાવવા જેવું નથી; પ ક્યાંય પણ; નાગારોળ્યું સ્થાપવા યોગ્ય નથી, મૂકવા યોગ્ય નથી; દેયં છોડવા યોગ્ય; વેયં દેવા યોગ્ય; =અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org