________________
૧૭. નિર્ભયાષ્ટક
૨
૩ ૩.
જીવોના ભય છે.
ભય અનેક પ્રકારના છે, પરંતુ એમાંથી મુખ્ય સાત મોટા ભય શાસ્ત્રકારો બતાવે છે, જેમકે (૧) ઈહલોક ભય–આ જગતનો ભય, ૨. પરલોક ભય, ૩. આદાન ભય, ૪. આજીવિકા ભય, ૫. અકસ્માત ભય, ૬. અપકીર્તિ ભય, ૭. મરણ ભય.
આ સાત પ્રકારના ભયમાંથી મુનિઓને એક પણ ભય હોતો નથી. તેઓ અભયને વરેલા છે. તેઓને ભય ન હોવા માટે અહીં મહત્વની બે વાત કરવામાં આવી છે:
(૧) તેઓને આત્માથી ભિન્ન એવા પરપદાર્થોની કોઈ અપેક્ષા હોતી નથી, તેઓ અત્યંત નિસ્પૃહ હોય છે. તેઓ બધી ભૌતિક ઇચ્છાઓથી પર થઈ ગયા હોય છે, (૨) તેઓ સ્વભાવના અદ્વૈતની લગનીવાળા હોય છે, એટલે કે કેવળ આત્મસ્વભાવમાં રહેવાવાળા હોય છે.
જે માણસો દિક્ષા લે છે અને મુનિ બને છે એમને હવે સંતતિ, સંપત્તિ, સંબંધો, સાધનો, કીર્તિ, મમત્વ વગેરે બધું જ છોડી દીધું હોય છે. બીજા નુકસાન પહોંચાડી શકે એવું એમની પાસે કશું નથી અને તેઓને બીજા પાસેથી કશી અપેક્ષા નથી. તેઓને કોઈની પાસેથી કોઈ ચીજવસ્તુ જોઈતી નથી. તેઓ પોતાની સાધનામાં લીન હોય છે. તેઓ પોતાના સ્વભાવમાં મોજ માણે છે. આ એવી મસ્તી છે કે જે કોઈ ઝૂંટવી શકે એમ નથી. એટલે તેઓને કોઈ ભય હોતો નથી, ભયની ભ્રાન્તિ હોતી નથી કે ખેદ હોતો નથી. કદાચ કંઈક હોય તો તે પણ નિર્મલ થઈ જાય છે. જગતને જોવાની એમની દૃષ્ટિ બદલાઈ ગઈ હોય છે. એથી જ કોઈપણ સારી માઠી વાત એમને સ્પર્શતી નથી.
સાધુ સદા નિર્ભય હોય છે ! [૧૩૦]મવસરળેન વિ ભૂમિનિયમના I
સવા મતિજ્ઞાનકુવમેવ વિશિષ્યતે | ૨૭ ૨ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org