________________
૨ ૩ ૨
જ્ઞાનસાર
૧૭. નિર્ભયાષ્ટક [૧૨૯] વચ્ચે નાસ્તિ પાપેક્ષા સ્વમાવાતામિ: I
તવિંગુ મમ્રતિવસ્તાતિસાાનતાનવમ્ ા ૨૭ મા ? [શબ્દાર્થ : ચહ્યું=જેને; નાર=નથી; પરપે=બીજાની અપેક્ષા; 4માવાતામિન = સ્વભાવના અદ્વૈત (એકત્વ)ને પ્રાપ્ત થનારા; તસ્ય તેને; વિજ T=કેમ ન હોય ?; જયન્તિ=ભયની ભ્રાન્તિ; તાત્તિઃખદ; સત્તા =પરંપરા; તનવં=અલ્પતા.]
અનુવાદ-જેને પરની અપેક્ષા નથી અને સ્વભાવની અભેદતા પ્રતિ જનાર છે તેને ભયની ભ્રાન્સિથી થતા ખેદની પરંપરાની અલ્પતા કેમ ન હોય ? (૧)
વિશેષાર્થ સમગ્ર જગત ભયથી ભરેલ છે. પોતાને કંઈક હાનિ થશે, નિષ્ફળતા મળશે, પરાજિત થવાશે, અપજશ મળશે, નિંદા થશે એવા વિવિધ પ્રકારના ભય ઉપસ્થિત થાય છે, કારણ કે એકંદરે સમસ્ત જગત બહિર્દષ્ટિ છે અને એને બીજા પાસેથી કશુંક જોઇએ છે. દુનિયામાં કૌટુંબિક, સામાજિક ઇત્યાદિ પરસ્પર વ્યવહાર એટલો બધો છે કે જ્યાં સ્વાર્થનું ઘર્ષણ ઊભું થયું ત્યાં રાગદ્વેષ, ખટપટ વગેરે ચાલવા લાગે છે. એમાં જ્યારે એક પક્ષ, વિભાગ કે વ્યક્તિ તરફથી બીજાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થાય છે ત્યારે વેરભાવ વધે છે અને એની સાથે ભય પણ ઊભો થાય છે. બીજાને ભયભીત કરવાના સભાન પ્રયત્નો પણ થાય છે.
વ્યવહારજગતમાં વખતોવખત અનેક લોકોને ભયભીત થયેલા જોવામાં આવે છે. ચોરડાકુનો ભય, દુશ્મનોનો ભય, રાજસત્તાનો ભય, દુકાળ, આગ, યુદ્ધ, પૂર વગેરેને વખતે મૃત્યુ અને સંપત્તિનાશનો ભય હોય છે. આ બધા સંસારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org