________________
૧૬. માધ્યસ્થાષ્ટક
૨ ૩ ૧
માધ્યસ્થ ભાવના અંગે ઉપાધ્યાયજી મહારાજ પોતાની ટીકામાં લખે છે કે “અપુનબંધકાદિકને વિશે મધ્યસ્થ દૃષ્ટિ વડે ચારિસંજીવની ન્યાય પ્રમાણે અમે હિત ઇચ્છીએ છીએ.”
પ્રશ્ન થાય કે સંસારમાં એકેન્દ્રિયાદિ અનંત જીવો છે, તેમાંથી ફક્ત અપુનબંધક જીવો માટે માધ્યસ્થ ભાવના કેમ ? તેનો ખુલાસો કરતાં તેઓ લખે છે કે “યદ્યપિ મૈત્રીભાવના સર્વ વિશે છે, તોપણ પ્રવૃત્તિને અનુકૂળ ભાવના અપુનબંધકાદિને આશ્રિત જ કહી છે.
ચારી સંજીવની જેમ પશુપણાનો ત્યાગ કરાવી મનુષ્યપણું પ્રગટ કરવા રૂપ હિત કરે છે તેવી રીતે “ચારિત્ર વગેરેમાં' મંદ પ્રયત્નોવાળો છતાં પણ અધ્યાત્મને અનુકૂળ સમભાવની પરિણતિવાળો થઈને આત્માને અનાદિ પશુપણાના ભાવથી દૂર કરીને સ્વરૂપના જ્ઞાનમાં પ્રકાશવાળો કરે છે.'
અપુનબંધકાદિ જીવો મિથ્યાત્વના પહેલા ગુણસ્થાનકે રહેલા છે. અને તત્ત્વથી મોક્ષમાર્ગને જાણતા નથી તો પણ તેઓ ઉત્તરોત્તર વિકાસ સાધી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી મુક્તિ મેળવે એવું તેમનું હિત ઇચ્છીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org