________________
૨૩૦.
જ્ઞાનસાર
પ્રત્યે સન્મુખ થયેલો તથા માર્ગમાં પ્રવેશ કરવા માટે યોગ્ય ભાવ પ્રાપ્ત કરનાર અને માર્ગપતિત એટલે મોક્ષ માર્ગે આવી ચડેલો, એટલે કે મોક્ષમાર્ગને પ્રાપ્ત થયેલો.
ચારિસંજીવની ન્યાય' એ સંસ્કૃત ભાષાનો એક ન્યાય છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા જાય છે જેમ કે અજા કૃપાણી ન્યાય, અંધપંગુન્યાય, કાકતાલીયન્યાય, દેહલી દીપકન્યાય, શાખાચંદ્રન્યાય ઇત્યાદિ. ન્યાય એટલે નિયમ કે સિદ્ધાન્ત સમજાવવા માટેનું સંક્ષિપ્ત, સચોટ ઉદાહરણ. “ચારિસંજીવનીચાર ન્યાય” એટલે સંજીવનીનો ચારો ચરાવવાના દૃષ્ટાન્ત પ્રમાણે.
જૂના વખતની વાત છે. એક સ્ત્રીનો પતિ એને વશ રહેતો નહોતો. એની સખીએ સલાહ આપી કે એને જો મંત્રેલી જડીબુટ્ટી ખવડાવવામાં આવે તો તેનો પતિ તેને વશ થશે. એ પ્રમાણે જડી બુટ્ટી મેળવી સ્ત્રીએ પતિને ભોજનમાં ખવડાવી દીધી. પરંતુ એથી તો એનો પતિ બળદ થઈ ગયો. પતિરૂપી બળદ સ્ત્રીને વશ થઈ ગયો અને સ્ત્રી દોરે એમ જવા લાગ્યો, એથી સ્ત્રીને બહુ પસ્તાવો થયો, પણ બળદમાંથી પતિ કરવાની જડીબુટ્ટી એની પાસે નહોતી કે એ વિશે એને કશી ખબર નહોતી. તે રોજ પોતાના બળદ પતિને ખેતરમાં ચરાવવા લઈ જાય અને રૂદન કર્યા કરે. એક વખત આકાશમાર્ગે એક વિદ્યાધર અને વિદ્યાધરી જતાં હતાં. સ્ત્રીનું રૂદન સાંભળી વિદ્યાધરીએ વિદ્યાધરને એ વિશે પૂછયું ત્યારે વિદ્યાધરે. કહ્યું, “આ જ ખેતરમાં એક સંજીવની નામની જડીબુટ્ટી છે. તે જો બળદને ખવડાવે તો બળદમાંથી પાછો માણસ થાય.” સ્ત્રીએ આ શબ્દો સાંભળ્યા, પણ ખેતરની કઈ વનસ્પતિ સંજીવની છે તેની એને ખબર નહોતી. સ્ત્રી બુદ્ધિશાળી હતી. એણે વિચાર્યું કે ખેતરનું બધું જ ઘાસ જો બળદને ખવડાવી દઉં તો એમાં સંજીવની પણ આવી જાય. એણે એ પ્રમાણે ખેતરનું બધું જ ઘાસ બળદને ખવડાવી દીધું. એને પરિણામે એનો વર બળદમાંથી પાછો માણસ થઈ ગયો. આ દૃષ્ટાન્તને ચારીસંજીવની ન્યાય કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org