________________
૧૬. માધ્યસ્થાષ્ટક
૨ ૨૯
કેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.] [૧૨૮] મધ્યસ્થય દશા સર્વેશ્વપુનર્વવાદિષા.
વારિસંનીવિનીવારચાયાતાશામ હિતમ્ II ૨૬ | ૮ | [શબ્દાર્થ ઃ મધ્યસ્થય શા=મધ્યસ્થ દૃષ્ટિથી; સર્વેષ=બધામાં; ગપુનર્જન્યવિષ= અપુનર્બન્ધક વગેરેમાં વારિસંગીવિનીવારીયા =ચારીસંજીવિનીચાર નામના ન્યાયથી, ચારો ચરાવવાના દૃષ્ટાન્તથી; મામૈદે આશા રાખીએ છીએ, ઇચ્છીએ છીએ; હિતમહિત, કલ્યાણ.]
અનુવાદ-અમે અપુનર્બ ધક વગેરે બધામાં મધ્યસ્થ દષ્ટિ વડે, ચારિસંજીવિનીચારના ન્યાયથી, હિત ઇચ્છીએ છીએ.
વિશેષાર્થ : મધ્યસ્થ ભાવ માત્ર પોતાના સમાગમમાં આવેલા જીવો પૂરતો મર્યાદિત ન રહેતાં, આંતરિક પરિણતિ અનુસાર સંસારના સર્વ જીવો પ્રત્યે વિકસે છે. મધ્યસ્થ મહાત્માઓનો જીવનવ્યવહાર અનોખો બની જાય છે. ઉપાધ્યાયજી મહારાજ પોતાનો અંગત ભાવ હોય એ રીતે આ શ્લોકમાં કથન કરે છે, જે સર્વ મહાત્માઓને માટે છે. તેઓ કહે છે કે “અપુનબંધકાદિ જીવો એટલે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત માર્ગને પ્રાપ્ત થયેલા) તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવો માટે મધ્યસ્થ દૃષ્ટિથી, ચારિસંજીવની ન્યાયથી અમે હિત ઇચ્છીએ છીએ.'
એક વખત માધ્યસ્થ ભાવ આવે એટલે જગતના સર્વ જીવોના કલ્યાણનો ભાવ જીવનમાં વણાઈ જાય.
જે જીવ તીવ્ર ભાવથી પાપ નથી કરતો, જે ક્ષુદ્ર કે ભવાભિનંદી ન હોય, જેનો સંસાર હવે એક પુદ્ગલ પરાવર્તથી અધિક ન હોય અને શુકલ પક્ષના ચંદ્રની જેમ ઉત્તરોત્તર આત્મવિકાસ સાધતો હોય એ જીવને અપુનબંધક (એટલે કે ફરીથી એવાં ભારે કર્મ ન બાંધનાર) કહેવામાં આવે છે. માર્ગાભિમુખ એટલે મોક્ષમાર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org