________________
૨ ૨૮
જ્ઞાનસાર
પારકાં વચ્ચે ન્યાય આપવાનો હોય ત્યારે થાય છે. પોતાનાં જે હોય તે પ્રત્યે પક્ષપાત થાય અને પારકાં હોય તેની અવગણના થાય તો તેમનું મધ્યસ્થપણું ટકી શકે નહિ. લોકોમાં તેઓ ઉઘાડા પડી જાય. પરંતુ મધ્યસ્થદૃષ્ટિ મહાત્મા રાગ કે દ્વેષ કરતા નથી. તેઓ કોઈ વસ્તુનો સ્વીકાર કે પક્ષ રાગને કારણે કરતા નથી, પણ તેમાં રહેલા ગુણોને કારણે કરે છે. તેવી રીતે તેઓ અકારણ અસ્વીકાર કે પરિહાર કરતા નથી, પણ તેમાં રહેલા દોષોને કારણે કે ગુણોની ન્યૂનતાને કારણે તેમ કરે છે.
ગણધર ભગવંતોએ રચેલાં શાસ્ત્રો અમારી પરંપરામાં સર્વ પૂર્વાચાર્યોએ માન્ય કર્યા છે. એટલે અમારે માન્ય રાખવાં જોઇએ' એમ તેઓ કહેતા નથી. મધ્યસ્થ જ્ઞાની મહાત્મા આગમોનો સ્વીકાર કરે છે તે અનુરાગને કારણે નહિ, પણ તેમાં રહેલા ગુણોને કારણે કરે છે. તેવી જ રીતે પારકાં શાસ્ત્રગ્રંથોનો અસ્વીકારતે પારકાં છે માટે નથી કરતા, પણ તેમાં રહેલી ત્રુટિઓ કે અસંગતિઓને કારણે કરે છે. મધ્યસ્થદૃષ્ટિ જ્ઞાની મહાત્મા યથાર્થ, વિપર્યાયરહિત વસ્તુસ્વરૂપની પરીક્ષા કરીને તેનો આશ્રય કરે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છેઃ
पक्षपातो न मे वीरे न द्वेष : कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। [મને શ્રી મહાવીર ભગવાનનો પક્ષપાત નથી, તેમજ કપિલ વગેરે મુનિઓ ઉપર દ્વેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા યોગ્ય છે.]
જ્ઞાનસાર'ના આ શ્લોકની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે નીચેનો શ્લોક ટાંક્યો છેઃ
न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु ।
यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। હિ વીપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org