________________
૯. ક્રિયાષ્ટક
૧ ૩૫
ગુણથી પતિત થવાનો સંભવ રહે છે. એ માટે ઔષધ અને આરોગ્યનું ઉદાહરણ આપવામાં આવે છે. દરદી સાજો થાય તે પહેલાં જો દવા લેવાનું છોડી દે તો તેનું દરદ મટતું નથી, પણ વધુ બગડે છે.
જે મહાત્માઓ ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે તેઓની સ્થૂલ બાહ્ય ધર્મક્રિયાઓ, ગુણની હાનિ વિના, છૂટતી જાય છે. જ્યાં સુધી ગુણો પૂર્ણપણે પ્રગટ્યા નથી ત્યાં સુધી તે પૂર્ણપણે પ્રગટ કરવા માટે ક્રિયા આવશ્યક મનાઈ છે.
જિનોને એટલે કેવળી ભગવંતોને એક જ સંયમસ્થાન સ્થિર રહે છે. તેમણે મોહનીય કર્મનો ક્ષય કરેલો હોય છે. તેમના સર્વ ગુણો પ્રગટ થઈ ગયા હોવાથી તેઓ સર્વજ્ઞ છે. હવે તેઓને ગુણહાનિનો કોઈ ભય નથી અને ગુણરક્ષા કે ગુણવૃદ્ધિની કોઈ ચિંતા કે આવશ્યકતા હોતી નથી. કારણ કે તેમનું સંયમસ્થાન અપ્રતિપાતી (પાછું ન પડનાર-સ્થિર) છે.
આનો અર્થ એ છે કે ગુણવૃદ્ધિ માટે કોઈક ને કોઈક બાહ્ય કે આત્યંત આવશ્યક ધર્મક્રિયા કરતા રહેવું જોઈએ. [૭૨] વરોડનુષ્ઠાનતોડ સાિસંતિમતિ !
सेयं ज्ञानक्रियाऽभेदभूमिरानन्दपिच्छला ।। ९ ।। ८ ।। [શબ્દાર્થઃ વોડનુષ્ઠાનતા=વચનાનુષ્ઠાનથી; બસંયિાસંતિંત્રઅસંગક્રિયાની યોગ્યતાને; મ ત=પામે છે; સT=; =આ (અસંગક્રિયા); જ્ઞાનયામે ભૂમિ:=જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ (એકતારૂપ) છે; માનંપિચ્છતા આનંદ વડે આર્ટ (ભીંજાયેલી) છે.]
અનુવાદ–વચન અનુષ્ઠાનથી અસંગ ક્રિયાની યોગ્યતા પામે છે. તે આ જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે. તે (આત્માના-સ્વભાવના) આનંદ વડે ભીંજાયેલી છે. (૮) વિશેષાર્થ શાસ્ત્રોમાં ધર્મક્રિયા અર્થાત્ અનુષ્ઠાન ચાર પ્રકારનાં બતાવ્યાં છે.
सय
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org