SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ક્રિયાઓ–હોય તો તેથી ક્ષયોપશમભાવ પ્રગટ થાય છે. જો ચારિત્ર અને ક્રિયા બંને ક્ષયોપશમ ભાવવાળાં હોય તો આવી ક્રિયાથી તે ભાવમાં વૃદ્ધિ થાય છે. [૭૧] મુળવૃઐ તત: ર્થાત્ ક્રિયામ૩નનાય વા । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ।। ९ ।। ७ ।। [શબ્દાર્થઃ ગુણવૃઐ=ગુણની વૃદ્ધિ માટે; તત:=તેથી; યંત્=કરવી જોઈએ; કરે; યિાં=ક્રિયા અશ્ર્વતનાય=નહિ પડવા માટે; વા=અથવા; =એક; તુ=તો; સંયમસ્થાન=સંયમનું સ્થાનક; નિનાન=કેવળજ્ઞાનીને; અવતિષ્ઠત=રહે છે.] જ્ઞાનસાર અનુવાદ–તેથી ગુણની વૃદ્ધિ માટે અથવા નહિ પડવા માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમસ્થાન તો કેવળી ભગવંતોને પણ રહે છે. (૭) વિશેષાર્થ : શુદ્ધ ક્રિયાથી આત્માના ગુણોની પ્રાપ્તિ થાય છે. સંસારમાં જે કોઈ પ્રવૃત્તિમાં વૃદ્ધિ કે હાનિની સંભવિતતા હોય ત્યાં તે પ્રવૃત્તિના કર્તાએ સદાય જાગૃત રહેવું પડે છે. માણસ કોઈ વેપાર ચાલુ કરે તો તેમાં ધનની વૃદ્ધિ એટલે કે કમાણી થવી જોઈએ. જો વેપારમાં ધ્યાન ન આપે તો કમાયેલું ધન પણ ખોવાનો વખત આવે છે. આવી જ રીતે સાધકે ધર્મક્રિયામાં પ્રવૃત્ત રહેવું જોઈએ કે જેથી ગુણોની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થાય. જો જીવનમાં પ્રમાદ આવી જાય, ક્રિયામાં શિથિલતા આવી જાય તો પ્રાપ્ત કરેલા ગુણો પણ ચાલ્યા જાય છે. સાધક જો ગુણની વૃદ્ધિનું લક્ષ્ય ન રાખે તો ગુણની સ્ખલના થવાનો સંભવ રહે છે. નીચેના ગુણસ્થાનકે રહેલા સાધકે દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારે ક્રિયાઓ કરતા રહેવું જોઈએ. સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પચ્ચખ્ખાણ તથા બાહ્ય અને અત્યંત૨ પ્રકારનાં તપ, તીર્થયાત્રા ઇત્યાદિ ધર્મક્રિયાઓ નિયમિત કરતા રહેવું જોઈએ. આ બધી બાહ્ય ક્રિયા છે પણ એથી આત્મશુદ્ધિ વધે છે. ક્રિયારહતિ સાધકપણું હોય તો વીર્યની ચંચળતાને કારણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy