________________
૯. ક્રિયાષ્ટક
૧ ૩૩
સંયમને અનુકૂળ ક્રિયા); યિતે–કરાય છે; તયા–તે ક્રિયા) વડે; પતિતસ્ય પડી ગયેલાને; મfપકપણ; તદ્ ભાવવૃદ્ધિ =તેના ભાવની વૃદ્ધિ; ગાયતે–ઉત્પન્ન થાય છે; પુન:=ફરીથી.].
અનુવાદક્ષાયોપથમિક ભાવમાં જે ક્રિયા કરાય છે, તે ક્રિયા વડે, પતિત થયેલાને પણ ફરીથી તેના ભાવની વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. (૬)
વિશેષાર્થ: બાહ્ય ધર્મક્રિયાઓ સાધનામાં ઘણી બધી રીતે ઉપયોગી નીવડે છે. આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ મહાત્માનું રાગ-દ્વેષાદિને કારણે કવચિત્ પતન થાય, એટલે કે નીચેની ભૂમિકાએ ઊતરી પડાય તો તેમને પાછા ઉપર ચડવા માટે તપ-સંયમને અનુકૂળ ધર્મક્રિયાઓ ઘણી ઉપયોગી નીવડે છે.
આત્માના પાંચ ભાવ છેઃ દયિક, પથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને પારિણામિક. અહીંસાયોપથમિક ભાવમાં થતી ક્રિયાની વાત છે. ક્ષયોપશમ એટલે આંશિક ક્ષય અને આંશિક ઉપશમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમથી આત્માની શુદ્ધિ માટે જે ક્રિયા થાય છે તે ગુણને પ્રગટ કરે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “પંચાશકમાં કહ્યું છેઃ
खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं ।
पडिवडियं पि हु जायइ पुणो वि तब्भाववुड्ढिकरं ।। [ક્ષાયોપથમિક ભાવમાં વર્તતાં દઢયત્નથી કરેલું શુભ અનુષ્ઠાન પતિત થયેલાને પણ ફરીથી તે ભાવ (ક્ષાયોપથમિક ભાવ)ની વૃદ્ધિ કરનાર થાય છે.]
કોઈ સાધકને ચારિત્રનો ક્ષયોપશમભાવ હોય, પરંતુ તેમની ક્રિયા ક્ષયોપશમભાવવાળી ન હોય તો ગુણવાનનું બહુમાન, પોતાનાં ધર્મકાર્યોની સ્મૃતિ વગેરે ક્રિયાઓ દ્વારા એમના ક્ષયોપશમભાવવાળા ચારિત્રનું રક્ષણ થાય છે. કોઈ સાધકનું ચારિત્ર ક્ષયોપશમભાવવાળું ન હોય અને ક્રિયા પણ તેવી ન હોય તો પણ તેવા લક્ષપૂર્વક કરાતી ક્રિયાઓ-બહુમાન, સ્મૃતિ વગેરે શુભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org