________________
૧
૩ ૨
જ્ઞાનસાર
જોતાં જ ચિત્તમાં પ્રસન્નતા ઉભરાવી જોઈએ. તદુપરાંત પોતે કરેલાં વ્રતાદિનું સ્મરણ કરવું જોઈએ. ભૂતકાળમાં મોટી તપશ્ચર્યા કરી શકાઈ હોય, કોઈ મહાત્માને વહોરાવવાનો, આહારદાનનો લાભ મળ્યો હોય, કોઈ મોટી તીર્થયાત્રા થઈ હોય, સ્તવનો, સૂત્રો, સ્તોત્રો વગેરે કંઠસ્થ થયાં હોય-આવી આવી ઘણી બધી સરસ ધર્મક્રિયા થઈ હોય તેનું વારંવાર સ્મરણ કરવું જોઈએ.
આ ઉપરાંત પાપ પ્રત્યે જુગુપ્સા એટલે અણગમો થવો જોઈએ. નાનાંમોટાં પાપોનાં પ્રલોભનો આપણી આસપાસ પડ્યાં જ હોય છે. તક મળતાં તે આપણા ચિત્તનો કબજો લઈ લે છે. પરંતુ પાપ પ્રત્યે અરુચિ, અભાવ, ધૃણા વગેરે થાય તો ચિત્તશુદ્ધિમાં સ્થિરતા રહે. તદુપરાંત સાધકે પરિણામ-આલોચન કરતા રહેવું જોઈએ એટલે કે પોતાનાં અશુભ જે કંઈ કાર્ય કે વિચાર–ભાવ થયાં હોય તો તરત એની આલોચના કરી લેવી જોઇએ અને અશુભ કાર્ય કે ભાવ માટે ક્ષમા માગી લેવી જોઈએ.
તીર્થકર ભગવાનની સ્તુતિ-ભક્તિ, એમનું નામસ્મરણ, પ્રતિમાનાં દર્શન, પૂજા, ચૈત્યવંદન ઇત્યાદિ વારંવાર કરવા અને અગાઉ કર્યા હોય તો તેનું સ્મરણ કરવું. વળી સાધુ મહાત્માઓની સેવા કરવી. શ્રી હરિભદ્રસૂરિએ ઉત્તર ગુણ એટલે કે પ્રતિક્રમણ, ગુરુવંદન ઇત્યાદિ શ્રદ્ધાપૂર્વક કરવા માટે આગ્રહ કર્યો છે.
આમ, આ બધું કરવાથી એટલે કે શુદ્ધ અને શુભ ક્રિયાથી આત્મશુદ્ધિ વધે છે અને આત્મશુદ્ધિ વધતાં ક્રિયામાં ઉત્સાહ વધે છે. આમ, બાહ્ય ધર્મક્રિયા કરતાં કરતાં આગળ જતાં સૂક્ષ્મ ક્રિયા સુધી, સ્વભાવમાં રમણતાની ક્રિયા સુધી પહોંચી શકાય છે કે જે પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. ૭૦] ક્ષાયોશિમિ ભાવે ય ક્રિયા યિતે તયા
पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।। ९ ।। ६ ।। [શબ્દાર્થ લાયોપરામિ ભાવે=ક્ષાયોપથમિક ભાવમાં; યા=જે; યિત્રક્રિયા (તપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org