________________
૯. ક્રિયાષ્ટક
વખત સ્થિર રહી શકાતું નથી. તરત સાંસારિક વિષયો અને વાતો વચ્ચે આવે છે. એકાંતમાં સામાયિકાદિ ક્રિયા એકલા કરતા હોઈએ તો પણ મન ક્યાંનું ક્યાં ભટકે છે. તેમ છતાં જે શુભ ભાવો ત્યારે આપણને પ્રાપ્ત થયા હોય એનું મૂલ્ય આપણને સમજાવું જોઇએ. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે એ ભાવો બહુ ઉપકારક નીવડે છે. એવા ગુણોને અને ભાવોને ટકાવી રાખવા તથા તેમાં વૃદ્ધિ કરવા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું છે. એ માટે એમણે પોતાના “જ્ઞાનસાર' ગ્રંથની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીની નીચે પ્રમાણે ગાથાઓ ટાંકી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “શ્રાવકધર્મવિશિકા'માં કહ્યું છેઃ
तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिगतगुणम्मि । पडिवक्ख-दुगंछाए परिणइ आलोअणेणं च ।। तित्थंकर भत्तीए सुसाहुजणपज्जुवासणाए अ।
उत्तरगुणसद्धाए एत्थ सया होइ जइअव्वं ।। [એટલા માટે (વ્રતનું) નિત્ય સ્મરણ કરનાર, જેઓએ ગુણો પ્રાપ્ત કર્યા હોય તેમના પ્રત્યે બહુમાન, વ્રતના પ્રતિપક્ષીની જુગુપ્સા (ઉપેક્ષા), પરિણામની આલોચના, તીર્થકરની ભક્તિ, સારા સાધુજનોની સેવા તથા ઉત્તર ગુણમાં શ્રદ્ધા-એ બધા માટે હંમેશાં યત્ન કરવો જોઈએ.]
એ પ્રમાણે કરનારને જો ભાવ ઉત્પન્ન ન થયો હોય તો થાય છે અને થયો હોય તો તે કદી પણ પાછો પડતો નથી. તેથી બુદ્ધિમાન પુરુષે અહીં પ્રમાદનો ત્યાગ કરવો, એટલે કે અપ્રમાદી થવું.
જ્યાં સુધી આત્માની સંપૂર્ણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી કોઈ ને કોઈ શુભ ક્રિયામાં ચિત્ત પરોવેલું રાખવું જોઇએ. એ માટે ગુણવાનોનું બહુમાન કરવું જોઈએ અથવા ગુણવાનો પ્રત્યે બહુમાનનો અંતરમાં ભાવ ધારણ કરવો જોઈએ. કોઈ ગુણીજનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org