________________
૧ ૩૦
જ્ઞાનસાર
પરિણતિની છે' એવું કહેનારની સમજણ અધૂરી છે. મુનિઓ માટે પંચાચારના પાલન માટેની ક્રિયાઓ ભાવપૂર્વક જો થાય તો મોક્ષ તરફ લઈ જનારું એક પ્રબળ કારણ છે. ક્રિયા અંતરંગ પરિણતિમાં વૃદ્ધિનું નિમિત્ત બને છે. ગુરુ ભગવંત પ્રત્યે અંતરમાં બહુમાન હોવું અને એમનાં ચરણોમાં મસ્તક ન નમાવવું એના કરતાં મસ્તક નમાવવાથી વિશેષ ભાવ થાય છે. એટલે બાહ્ય ક્રિયા અંતરંગ ભાવને જન્માવે છે. ક્રિયાથી ભાવની નિષ્પત્તિ સહજ બને છે અને ક્રિયા ભાવની વૃદ્ધિનું કારણ પણ બને છે. જગતના વ્યવહારમાં જોવા મળે છે કે કેટલાંક સુંદર પરિણામ પાછળ પૂર્વે કરેલી ક્રિયાઓ કારણભૂત છે. એવી જ રીતે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સરસ ભોજનની તૃપ્તિ અનુભવવી છે, પરંતુ મોંઢામાં કોળિયો નાખવાની ક્રિયા કરવી નથી, તો તેથી કંઈ તૃપ્તિ થશે નહિ. મોંઢામાં કોળિયો નાખીએ તો જ તૃપ્તિ થાય છે.
એટલા માટે બાહ્ય ક્રિયાઓને એના યોગ્ય સ્વરૂપમાં સમજવાની આવશ્યકતા છે. આત્મગુણોને પ્રગટાવવા માટે મન, વચન અને કાયાની ક્રિયાઓ ઉપકારક છે. [૬૯] ગુણવદ્યુમનાર્નિત્યસ્મૃત્યા ચ યિા !
વાતં પાતયેદ્ ભાવમજ્ઞાતિ જન િ ૨ | ૯ | [શબ્દાર્થઃ ગુણવત્રગુણીજન; વહુમાનાવે =બહુમાન વગેરેથી; નિત્ય હંમેશાં; મૃત્યા=સ્મરણ કરવા વડે; =અને; સયિા =શુભ ક્રિયા; નાd=ઉત્પન્ન થયેલ; ન=નહિ; પાતયે–પાડે; માવં=ભાવને; મનાતં=નહિ ઉત્પન્ન થયેલા; ઝન—ઉત્પન્ન કરે; પ=પણ.]
અનુવાદ-ગુણીજનના બહુમાન વગેરેથી તથા (લીધેલા નિયમોના) નિત્ય સ્મરણાથી, સક્રિયા, ઉત્પન્ન થયેલા ભાવને પાડતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે. (૫) વિશેષાર્થ : સામાન્ય કક્ષાના કે આરંભ દશાના સાધકોથી શુભ ભાવમાં વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org