________________
૯. ક્રિયાષ્ટક
૧ ૨૯
કશાની જરૂર પડે નહિ. આમ છતાં દીપકમાં તેલ પૂરવાની ક્રિયા કરવી પડે છે. એવી રીતે આત્મા સ્વયંપ્રકાશક છે, તેમ છતાં એને સંપૂર્ણપણે પ્રકાશિત થવા માટે એટલે કે સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટે ક્રિયાની જરૂર છે. [૬૮] વીર્થમાવં પુરસ્કૃત્ય થે ક્રિયા વ્યવહારત: |
વને વર્તક્ષેપ વિના તે તૃતિવશાંક્ષિપ: 1 3 | [શબ્દાર્થઃ વીહ્યાવં=બાહ્ય ભાવને; પુરસ્કૃત્યે=આગળ કરીને; કે જેઓ; ક્રિયા=ક્રિયાનો; વ્યવહરત:=વ્યવહારથી નિષેધ કરે છે; વ=મોંઢામાં; વેન્નક્ષેv= કોળિયો નાખવો; વિના=વગર; તે તેઓ; તૃપ્તિifક્ષણ: તૃપ્તિને ઇચ્છનારા છે.]
અનુવાદ-જેઓ બાહ્ય (ક્રિયાના) ભાવને આગળ કરીને (વ્યવહારથી) ક્રિયાનો નિષેધ કરે છે તેઓ મુખમાં કોળિયો નાંખ્યા વગર તૃપ્તિને ઇચ્છનારા છે. (૪)
વિશેષાર્થ: મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેની સમતુલા બરાબર જળવાવી જોઈએ. કેટલાક નિશ્ચયનયમાં જ માનનારા જ્ઞાનને આગળ કરીને ક્રિયાને ઉતારી પાડે છે. ક્રિયા તો નાનું બાળક પણ કરી શકે એમ કહીને ક્રિયાનો તેઓ અપલાપ કરે છે. કેટલાક કહે છે કે ક્રિયા તો બાહ્ય આચાર માત્ર છે, ખરી જરૂર છે અંદરના ભાવની પરિણતિની. કેટલાક તો વળી એમ બોલતા હોય છે કે “આ જીવે અનંતી વાર ક્રિયા કરી, અરે, મેરુ પર્વત જેટલા ઓઘા લીધા, તો પણ ભવનો પાર આવ્યો નથી. માટે એવી ક્રિયાની જરૂર નથી.” પરંતુ એમ કહેનારાની સમજણ અધૂરી છે. “ક્રિયા તો બાહ્યભાવ છે', “ક્રિયા તો જડ છે', ક્રિયા તો પુદગલની પ્રવૃત્તિ છે અને આત્મા તો ચેતન છે. ભાવ જ મોક્ષનું કારણ છે.” આમ કહીને ક્રિયાનો નિષેધ કરવો તે યોગ્ય નથી. હા, અવસ્થાભેદ કે કક્ષાભેદ અનુસાર ક્રિયાનું સ્વરૂપ બદલાય, પણ સમ્યક્ ક્રિયાનો સદંતર લોપ ન કરી શકાય.
સામાયિક, જિનસ્તુતિ, દેવગુરુવંદન, પ્રતિક્રમણ, પૌષધ, પડિલેહણ, કાઉસગ્ગ, તપશ્ચર્યા વગેરે ક્રિયાઓ એ બાહ્ય ભાવ છે, પણ ખરી જરૂરતો અંતરંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org