SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મોનો ક્ષય થવાનો બાકી છે. અઘાતી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા જેવી દશા એમણે પ્રગટાવવાની છે. એટલે એમને પણ એ માટે સમુદ્દાત, શૈલેશીકરણ અને યોગનિરોધના પ્રકારની સૂક્ષ્મ ક્રિયા કરવાની હોય છે. અનંત ભવભ્રમણ કરતો જીવ જેમ જેમ ઊંચે આવતો જાય છે. તેમ તેમ આત્મવિકાસના પોતાના તબક્કા અનુસાર અને હવે પછીની દશા પ્રાપ્ત કરવા માટે તેણે તે તે પ્રકારની ક્રિયા કરવાની હોય છે. બધા જીવોએ સર્વકાળે એક જ પ્રકારની એકસરખી ક્રિયા ક૨વાની હોતી નથી, પણ અધ્યાત્મમાર્ગમાં પોતપોતાની અવસ્થા અને યોગ્યતા અનુસાર ક્રિયા કરવાની હોય છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તેને અનુરૂપ ક્રિયા ક૨વી જોઈએ. આ ક્રિયા એના ક્રમે થાય તો જ ઇષ્ટ ફળ આપે છે. માટીમાંથી ઘડો બનાવવાની ક્રિયામાં કે રૂમાંથી વસ્ત્ર બનાવવાની ક્રિયામાં એનો પોતાનો ક્રમ રહેલો છે. એવી રીતે સિદ્ધગતિની પ્રાપ્તિ સુધી આત્મિક ગુણોની વૃદ્ધિ માટે પણ ક્રમાનુસાર ક્રિયા કરવાની રહે છે. જીવ જે ગુણવૃદ્ધિ કરે છે એના કેટલાક મહત્ત્વના તબક્કા ભગવાને બતાવ્યા છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. મંદ મિથ્યાત્વની દશામાં એટલે કે અપુનર્બંધક દશામાં જીવ સમ્યગ્દર્શન પ્રત્યે અભિમુખ થાય છે. ત્યાર પછી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે અને પછી અનુક્રમે અવિરતિ સમ્યગ્દષ્ટિ; દેશવિરતિ સમ્યગ્દષ્ટિ, પછી સર્વવિરતિ સમ્યગ્દષ્ટિ એમ અનુક્રમે તે આગળ વધતો જાય છે. આ બધા કાળમાં તે ક્રિયા તો કરતો જ રહે છે. સાતમા ગુણસ્થાનક પછી ઉપ૨ ચઢતો જીવ ત્યાર પછી ઘાતી કર્મોનો ક્ષય કરી સયોગી કેવળી બને છે. ત્યાર પછી તે સર્વ-સંવ૨ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયા કરે છે. મોક્ષની સાવ નજીક આવેલા કેટલાક કેવળજ્ઞાની મહાત્મા સમુદ્દાતની ક્રિયા કરે છે. ત્યાર પછી કેવળજ્ઞાની મહાત્મા યોગનિરોધની ક્રિયા કરે છે. આમ પ્રથમ ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી જીવની બાહ્ય કે આત્યંતર, સ્થૂલ, સૂક્ષ્મ કે સૂક્ષ્મત ક્રિયા ચાલુ જ હોય છે. અહીં દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે દીપકનું. દીપક સ્વપ્રકાશક છે. અંધારામાં અન્ય વસ્તુ જોવા માટે દીપકની જરૂર પડે છે, પરંતુ ઝળહળતા દીપકને જોવા માટે Jain Education International જ્ઞાનસાર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy