________________
૯. ક્રિયાષ્ટક
૧ ૨
માટે પોષક છે.
ગૃહસ્થ જીવનમાં વ્યવસાયમાં વ્યસ્ત એવી કેટલીક વ્યક્તિઓ વાત કરતી હોય છે કે “અમે તો ધ્યાન ધરીએ છીએ અને આત્મસ્વરૂપમાં રમણતા કરીએ છીએ. અમારે સામાયિક, પ્રતિક્રમણ, જિનદર્શન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ વગેરે કરવાની કંઈ જ જરૂર નથી.” તો આવી વ્યક્તિઓ ભ્રમણામાં રહે છે. બાહ્ય ક્રિયાઓ પ્રત્યેની તેમની અરુચિ, તેમના પ્રમાદ, અજ્ઞાન, વગેરેમાંથી આવે છે. બાહ્ય ક્રિયાઓ પ્રત્યેનો અભાવ, અણગમો, અનાદર ઇત્યાદિ જીવને દુર્ગતિમાં લઈ જનાર છે.
મોક્ષમાર્ગમાં જ્ઞાન સાથે ક્રિયા આવશ્યક અને ઉપયોગી છે. [६७] स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते ।
પ્રદીપ પ્રાગોડપ તૈનપૂર્ચાવિયથા . ૧ / રૂ II [શબ્દાર્થ સ્વાનુકૂત=સ્વભાવને અનુકૂળ; યિાંત્રક્રિયાની આવશ્યકાદિ ક્રિયાની); શાત્રેઃકાળે, અવસરે; જ્ઞાનપૂર્ણ =જ્ઞાન વડે પરિપૂર્ણ; પૂર્ણ જ્ઞાની; પિ=પણ;
ક્ષો=અપેક્ષા રાખે છે; પ્રવીપ:=દીવો; સ્વાગ:=પોતે પ્રકાશરૂપ છે; પ=પણ; તૈનપૂર્ચાવિ=તેલ પૂરવું વગેરેની યથા=જેમ.]
અનુવાદ-જેમ દીપક સવપ્રકાશરૂપ છે, તો પણ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. (૩).
વિશેષાર્થ : ક્રિયાની આવશ્યકતા ક્યાં સુધી ? આ પ્રશ્નના ઉત્તર રૂપે અહીં કહેવામાં આવ્યું છે કે સાધક જ્ઞાનપૂર્ણ થાય અર્થાત્ પૂર્ણ જ્ઞાની થાય ત્યાં સુધી ક્રિયાની આવશ્યકતા છે. પૂર્ણજ્ઞાની એટલે કેવળજ્ઞાની. પ્રશ્ન એમ થાય કે કેવળજ્ઞાનીને પણ ક્રિયા કરવાની હોય ? એમણે તો સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય છે. એમને તો હવે આયુષ્ય પૂર્ણ થયે મોક્ષપ્રાપ્તિ થવાની જ છે. હા, એ વાત સાચી, પણ કેવળજ્ઞાનીનાં ફક્ત ઘાતિકર્મોનો જ ક્ષય થયો હોય છે. અઘાતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org