________________
૧ ૨ ૬
જ્ઞાનસાર
પુર=નગરે; ક્ષિd=ઇચ્છિત.].
અનુવાદ-ક્રિયા વિનાનું એકલું જ્ઞાન, ખરેખર, નિરર્થક છે. ચાલવાની ક્રિયા | વિના, માર્ગનો જાણકાર પણ ઇચ્છિત નગરમાં પહોંચી શકતો નથી. (૨)
વિશેષાર્થ : ક્રિયાનું મહત્ત્વ સમજાવવા માટે અહીં સરસ દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. માણસ પથજ્ઞ હોય એટલે કે તે રસ્તાનો જાણકાર હોય. રસ્તાની જાણકારી હોવી બહુ જરૂરી છે. કોઈ પણ માર્ગમાં થોડે થોડે અંતરે બેત્રણ ફાંટા આવે, ચોકડી કે તેથી વધુ રસ્તા ફંટાય તે વખતે કઈ દિશામાં જવું તેની ખબર ન હોય અને બતાવનાર કોઈ નિશાની કે વ્યક્તિ ન હોય તો માણસ કદાચ ભૂલો પડી જાય. કેટલાયે માણસો રસ્તાના જાણકાર, દિશા અને અંતરના જાણકાર અને અનુભવી હોય છે. તેઓ ભૂલા પડતા નથી. પરંતુ જે નગરમાં પહોંચવું છે તે માટે જો તેઓ ડગલાં જ ન માંડે કે વાહન ન હાંકે તો પહોંચી કેવી રીતે શકે ? બીજી બાજુ માણસ ચાલવા જ માંડે પણ રસ્તાની જાણકારી ન ધરાવતો હોય તો ભટક્યા જ કરે પણ લક્ષ્ય સ્થાને પહોંચી ન શકે. માટે જરૂર છે માર્ગની જાણકારીની અને એ તરફ ગતિ કરવાની.
આવી રીતે સાધક મોક્ષમાર્ગનો જાણકાર હોય પણ તે માટે જો તે ક્રિયા ન કરનાર, અર્થાત્ પુરુષાર્થ ન આદરનાર હોય તો તે ફળ પ્રાપ્ત કરી શકતો નથી. માટે જ્ઞાનની સાથે ક્રિયાની આવશ્યકતા સ્વીકારાઈ છે. કેટલાક કદાચ પ્રશ્ન કરે કે કોઈક વાર કોઈ સાધક મહાત્માને કશું જ ન કરતા આપણે જોઈએ છીએ. તો તેઓ ક્રિયા કરે છે એમ કેવી રીતે કહી શકાય ? એનો ઉત્તર એ છે કે ક્રિયા બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારની છે. જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગ છે ત્યાં સુધી ક્રિયા છે. એટલે એવા કેટલાક મહાત્માઓ બાહ્ય દૃષ્ટિએ કશું ન કરતા હોવા છતાં એમનો અંતરંગ પુરુષાર્થ ચાલતો હોય છે. પરંતુ એવા કોઈ મહાત્માનું ઉદાહરણ લઈને કોઈ સાધક આરંભકાળમાં જ બાહ્ય ક્રિયાઓ છોડી દે તો તે ફળ મેળવી નહિ શકે. વસ્તુતઃ બાહ્ય ક્રિયાઓ પણ ઉપયોગી છે અને તે અંતરંગ ક્રિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org