SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ક્રિયાષ્ટક ૧ ૨૫ કોઈ માણસ “તરવાની કલા' નામના પુસ્તકનો બરાબર અભ્યાસ કરી, એના બધાં નિયમો મોઢે કરી લઈ સીધો ઊંડા પાણીમાં કૂદકો મારે તો એ ડૂબી જાય, કારણ કે એ જ્ઞાની છે, પણ ક્રિયાવાન નથી. તરવા માટે જ્ઞાન હોવું જેમ જરૂરી છે તેમ ક્રિયાવાન હોવું-તરવાના મહાવરાવાળા હોવું પણ જરૂરી છે. સંસારરૂપી સાગરમાં પોતે તરનાર અને બીજાને પણ તારનાર વ્યક્તિમાં જે પાંચ મહત્ત્વના ગુણો હોવા જોઈએ તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. એ વ્યક્તિ જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, ભાવનાથી ભાવિત અને જિતેન્દ્રિય હોવી જોઈએ. અહીં જ્ઞાન, ક્રિયા, ઉપશમ, ભાવના અને ઇન્દ્રિયજય આ પાંચે સંસારસાગર તરવા માટેના આવશ્યક ગુણલક્ષણો કે ઉપાયો છે. આ ગુણલક્ષણો ક્રમિક છે. શ્રી દેવચંદ્રજી મહારાજે ટીકામાં લખ્યું છેઃ “સ્વરૂપને અનુકૂલ દર્શન અને જ્ઞાનશક્તિના બોધરૂપ વ્યાપાર તે જ્ઞાન, અને સ્વરૂપને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિ તે ક્રિયા. કહ્યું છે. જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ: I જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તેમાં જ્ઞાન એ સ્વપપ્રકાશરૂપ છે અને ક્રિયા સ્વરૂપમાં રમણ કરવારૂપ છે. તેમાં ચારિત્ર અને વીર્યગુણની અભેદ પરિણતિ રૂપ જે ક્રિયા તે મોક્ષસાધક ક્રિયા છે. જ્ઞાની અને ક્રિયાવાન વ્યક્તિ પણ ઉપશાન્ત હોવી જોઇએ. તેના ક્રોધાદિ કષાયો અત્યંત મંદ થઈ ગયા હોવા જોઈએ. વળી તે ભાવનાશીલ અને જિતેન્દ્રિય પણ હોય તો જ તેનામાં બીજાને તારવાનું સામર્થ્ય પ્રગટે છે. [૬૬] ક્રિયાવિહિત ના જ્ઞાનમાત્રમર્થકમ્ તિ વિના પથોડપિ નાખોતિ પુરમણિતમ્ II ૨ ll ૨ | [શબ્દાર્થઃ ક્રિયાવિરણિતંત્રક્રિયા વિનાનું; હૉ=(અવ્યય) અરે, ખરેખર; જ્ઞાનમાä=એકલું જ્ઞાન; અનર્થ=નિરર્થક; પતિ વિના ચાલવાની ક્રિયા વિના; પથર્ગો:=માર્ગનો જાણનાર; પિકપણ; નાખોતિ=+મોતિ પ્રાપ્ત કરતો નથી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy