________________
૧ ૨૪
જ્ઞાનસાર
૯. ક્રિયાષ્ટક [૬૫] જ્ઞાની ક્રિયાપર: શાસ્તો ભાવિતાત્મા નિતેન્દ્રિય !
સ્વયં તી વીમોથે: પપાંતારથિતું ક્ષમઃ || ૧ ૨ [શબ્દાર્થ જ્ઞાની=સમ્યગુજ્ઞાનવાળા; ક્રિયાપ૨:=ક્રિયામાં તત્પર; શાન :=શાન્ત, ઉપશમયુક્ત, ભાવિતાત્મા=ભાવિત છે આત્મા જેનો; ભાવનાઓથી ભાવિત; નિસેન્દ્રિય =ઇન્દ્રિયોને જીતનાર; સ્વયં પોતે; તીર્થ =તરેલા છે; મવાસ્મોપે=ભવરૂપી સમુદ્રથી, સંસારસાગરથી; પરી=બીજાને; તારયિામ–તારવાને; ક્ષમ:=સમર્થ છે.]
અનુવાદ-જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાન્ત, ભાવનાઓથી ભાવિત અને જિતેન્દ્રિય આત્મા પોતે સંસારસમુદ્રથી તરેલા છે અને બીજાઓને તારવા સમર્થ છે. (૧)
વિશેષાર્થ : તરતાં તરતાં નદી પાર કરવાની શક્તિ અને આવડત બધામાં હોતી નથી. કેટલાક ડૂબે અને સાથે લઈને જનારાને પણ ડૂબાડે. કેટલાક હોંશિયાર માણસો પોતે તરીને સામે પાર ઊતરે, પણ પોતાની પીઠ પર બેસાડીને બીજાને લઈ જઈ શકે નહિ. કેટલાક કુશળ, હિંમતવાન તરવૈયા (તારા) પોતે તરે અને બીજાને પણ પાર ઉતારે. કેટલાક નદીમાં સામે પૂરે તરી શકે અને કેટલાક ભીષણ, ઘૂઘવતા સમુદ્રમાં પણ કરી શકે અને બીજાને તારી શકે. બધા માણસોની શક્તિ એકસરખી હોતી નથી.
સંસારરૂપી સાગર તો એથી પણ વધુ ભયંકર છે. તે દેખાય છે સોહામણો, પણ એમાં વમળો ઘણાં છે. ભલભલાને તે ડૂબાડી દે એવાં છે. જેના વમળના સ્વરૂપના જાણકાર છે, તરવાની કલાના અભ્યાસી છે અને શક્તિશાળી છે તેવા મહાત્માઓ પોતે સંસારમાંથી કરે છે અને બીજાને પણ તારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org