________________
૮. ત્યાગાષ્ટક
૧ ૨
૩
એટલે પાધિક ધર્મોના અભાવની દશા. જ્ઞાનાદિ સ્વભાવગુણો તો અહીં રહે જ છે. એટલે નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ વિશિષ્ટ સંદર્ભમાં સમજવું જોઈએ. [૬૪] વસ્તુતતુ મુળ: પૂમનન્સેસ સ્વત: |
रूपं त्यक्तात्मन: साधोर्निरभ्रस्य विधोरिव ।। ८ ।। ८ ।। [શબ્દાર્થઃ વસ્તુત:=વસ્તુતઃ, પરમાર્થથી; તુ તો; ગુૌ =ગુણો વડે; પૂર્ણ=પૂર્ણમ: પૂર્ણ; અનન્ત =અનન્ત; મારતે=ભાસે છે; સ્વત:=વય, પોતાની મેળે;
=સ્વરૂપ; ત્યક્તાત્મન: ત્યાગી છે આત્મા જેનો એવા; સાધો:=સાધુનું; નિરભ્ર વાદળાં રહિત, વિથો:=ચંદ્રની; રૂવ=જેમ.]
અનુવાદ-પરમાર્થથી તો વાદળાંઓથી રહિત ચંદ્રની જેમ ત્યાગવંત આત્મા છે જેનો એવા સાધુનું સ્વરૂપ અનંત ગુણો વડે પૂર્ણ સ્વયં પ્રકાશે છે.
વિશેષાર્થ : પોતાના સ્વભાવથી આત્મા અનંત ગુણો વડે પરિપૂર્ણ છે. અનાદિ કાળથી જીવ પરપદાર્થનો સંગ કરતો આવ્યો છે એટલે એ બધા ગુણો કર્મરૂપી આવરણથી ઢંકાયેલા રહ્યા છે. પરંતુ સાધુ જ્યારે આ બધા પરપદાર્થનો સંગ છોડી દે છે, વૈભાવિક ભાવોનો પણ ત્યાગ કરે છે અને સ્વરૂપની એકતામાં તન્મય બને છે ત્યારે કર્મરૂપી આવરણ સદંતર નીકળી જતાં આત્મા વાદળરહિત પૂર્ણિમાના નિર્મળ ચંદ્રની જેમ પ્રકાશવા લાગે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઇત્યાદિ અનંત ગુણો પ્રકાશમાન થાય છે.
સાધુને માટે અહીં ત્યક્ત આત્મનઃ' એવું વિશેષણ પ્રયોજાયું છે. એટલે કે જેનો આત્મા ત્યાગવંત છે એવા સાધુ. પ્રથમ શ્લોકથી તે સાતમા શ્લોક સુધી મુનિ ભગવંતે આધ્યાત્મિક સિદ્ધિ માટે ઉત્તરોત્તર શાનો ત્યાગ કરવાનો છે તેનો ક્રમ બતાવ્યો છે. એ રીતે સાધુનો આત્મા ત્યાગવાન છે. છેવટે ચૌદમા ગુણસ્થાનકે યોગોનો પણ ત્યાગ થતાં નિર્ગુણ બ્રહ્મસ્વરૂપ, સચ્ચિદાનંદ-સ્વરૂપ આત્મા પ્રકારો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org