________________
૧ ૩૬
જ્ઞાનસાર
પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન, વચન-અનુષ્ઠાન અને અસંગ-અનુષ્ઠાન. આ ચારે અનુષ્ઠાન એટલે અરિહંત પરમાત્માના વચન અર્થાત્ આજ્ઞા અનુસાર થતી ધર્મક્રિયા. આવી ક્રિયાની વૃદ્ધિ થતાં અસંગ અનુષ્ઠાન થાય છે. એ માટે ઉદાહરણ કુંભારના ચાકડાનું આપવામાં આવે છે. ચાકડાને ફેરવવા માટે પ્રથમ દંડથી ચાકડાને ધક્કો મારવામાં આવે છે. થોડી વાર એ રીતે દંડ વડે ચાકડાને ફેરવવામાં આવે ત્યાર પછી વેગ પકડતાં ચાકડો દંડની સહાય વગર એની મેળે ફરે છે. એવી રીતે વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. અહીં જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિકા થાય છે. એમાં વચનાનુષ્ઠાનરૂપે શુદ્ધ જ્ઞાનોપયોગ અને અસંગ અનુષ્ઠાનરૂપે શુદ્ધ વર્ષોલ્લાસ એ બંનેનું તાદાભ્ય થાય છે. બંને વચ્ચે અભેદની ભૂમિકા રચાય છે. આ અભેદ ભૂમિકા સ્વરૂપાનંદના સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી આર્દ્ર બનેલી હોય છે. એટલે જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી વચનાનુષ્ઠાનરૂપી ક્રિયા કરવી જોઈએ. એટલા માટે જ્ઞાનીઓ ક્રિયાનો નિષેધ કરતા નથી, પરંતુ રત્નત્રયીરૂપ ધર્મની આરાધના કરવા માટે ક્રિયાને આવશ્યક માને છે, કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્ઞાનશિયાખ્યાં મોક્ષ: જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org