________________
૧૦. વૃષ્યષ્ટક
૧ ૩૭
૧૦. તૃત્યષ્ટક [૭૩] પીવા જ્ઞાનામૃત અવસ્વી બ્રિયાલુરતાનમ્ |
સામ્યતાડૂતમીસ્વાદ તૃપ્તિ યાતિ પર મુનઃ || ૨૦ || 8 || [શબ્દાર્થઃ પીત્વ=પીને જ્ઞાનામૃતં=જ્ઞાનરૂપી અમૃત; મુત્વઃખાઈને; ક્રિયાલુરત્નતા=ક્રિયારૂપી સુરલતા, કલ્પવેલી; નં ફળને; સામ્યતાનૂન= સમતારૂપી તાંબૂલ, સમભાવરૂપી પાન; માસ્વાદ્ય ચાવીને; ચાખીને; સ્વાદ માણીને; તૃપ્તિ-તૃપ્તિ; યતિ–પામે છે; પર=પરમ, અત્યંત; મુનિ=સાધુ.]
અનુવાદ-જ્ઞાનરૂપી અમૃત પીને, ક્રિયારૂપ કલ્પવેલનાં ફળ ખાઈને અને સમતારૂપી તાંબૂલનો આસ્વાદ લઈને (પાન ખાઈને) મુનિ પરમ તૃપ્તિ પામે છે. (૧) વિશેષાર્થઃ ક્રિયા અષ્ટક પછી આ તૃપ્તિ અષ્ટક આવે છે તે સપ્રયોજન છે. ક્રિયા કરનાર સાધકમાં પણ મદ, માયા, લોભ ઇત્યાદિ કષાયો ઉદભવે એવો સંભવ રહે છે. સમ્યક્ ક્રિયા કરવા સાથે આવા કષાયોથી મુક્ત રહેવા માટે સમતા દ્વારા પ્રાપ્ત થતી તૃપ્તિની પણ એટલી જ આવશ્યકતા છે, જે સમતા જ્ઞાન-ધ્યાનથી પ્રાપ્ત થાય છે.
અહીં જે વિચારણા કરવામાં આવી છે તે મુનિદશા માટેની છે. એ માટે ભોજનનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. ભોજનમાં ખાદ્યપદાર્થ જોઈએ, પીવા માટે પાણી વગેરે જોઈએ અને છેલ્લે પાચન માટે તાંબૂલાદિ મુખવાસ જોઈએ.
મુનિઓ આહાર લે છે, પરંતુ તેઓએ ભોજનનો રસ છોડી દીધો હોય છે. મિષ્ટાન્ન, પકવાન, ફરસાણ વગેરે સહિત ગરીષ્ઠ ભોજન મુનિને ન ખપે. ભોજન દ્વારા શરીર સશક્ત અને ભરાવદાર બનાવવાનું મુનિને ન કહ્યું. મુનિ તો કૃશકાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org