________________
૧ ૩૮
જ્ઞાનસાર
હોય તો જ શોભે. મુનિ સ્વાદના રસિયા ન હોય. આહાર અંગે તેઓ ઉદાસીન હોય. આનું કારણ એ છે કે તેઓને હવે આથી પણ વધારે પૌષ્ટિક, સાત્ત્વિક આહાર પ્રાપ્ત થયો છે. એ આહારમાં પીવા માટે જ્ઞાનરૂપી અમૃત, ખાવા માટે ક્રિયારૂપી ફળ છે. આ ફળ પણ સુરલતાનું છે એટલે કે કલ્પવલ્લીનું છે. જ્ઞાન તથા ક્રિયારૂપી ભોજનના અંતે પાચન માટે સમતારૂપી તાંબૂલ હોય છે. એથી પરમ તૃપ્તિ અનુભવાય છે.
વ્યવહારમાં સામાન્ય માણસો સરસ સ્વાદિષ્ટ ભોજન કરીને ધરાય છે, તૃપ્તિનો સ્વચ્છ ઓડકાર ખાય છે, પરંતુ આ તૃપ્તિ ક્ષણિક અને આરોપિત છે. એ સાચી તૃપ્તિ નથી. ભોજન લેવાતું હોય અને જીભમાં સ્વાદ આવતો હોય, ભૂખ સંતોષાતી હોય એટલી વાર જ તૃપ્તિ અનુભવાય છે. અતિઆહાર કરી શકાતો નથી, અને પ્રમાણસર આહાર લીધો હોય તો પણ થોડી વાર પછી પાછી ભૂખ લાગે છે. એટલે એમાં તૃપ્તિ કરતાં તૃષ્ણા વધારે રહે છે. વળી દેહ અને આત્માની એકતાનો ભ્રમ હોય તો જ આહારની આવી ખોટી તૃપ્તિ અનુભવાય છે ! મેં સરસ ભોજન કર્યું એવા ભાવમાં માનકષાય રહેલો હોય છે. મુનિને માટે એ વર્ષ છે.
મુનિ મહારાજ આત્મા અને પરપદાર્થ વચ્ચેના ભેદની સમ્યક-પ્રતીતિ કરાવનાર જ્ઞાનના અમૃતનું પાન કરે છે. તેમણે સાવદ્ય પ્રવૃત્તિઓ છોડી દીધી હોય છે. હવે શુભયોગની પ્રવૃત્તિરૂપી કલ્પવલ્લીના ફળનો આહાર કરે છે. તેઓ શુભાશુભ પુલ પ્રત્યે, સમભાવ ધારણ કરવારૂપી તાંબૂલાદિ મુખવાસનો આસ્વાદ લઈને તૃપ્તિ અનુભવે છે.
મુનિ મહારાજ એથી પણ આગળ વધીને ભગવાનના વચનોરૂપી જ્ઞાનને અમૃત સ્વરૂપે આસ્વાદે છે. એ સમ્યગુજ્ઞાન અનુસાર તેઓ જે સમ્યક્ ક્રિયા કરે છે અને એ દ્વારા જે તત્ત્વસંવેદન અનુભવે છે તે સુરલતાના ફળના ભોજન બરાબર છે. સંસારના જીવો પોતાના પુણ્યોદયથી જે ભૌતિક સુખ અનુભવતા દેખાય છે એવા જીવો, મુનિઓને સુખી નહિ પણ દુઃખી જણાય છે, કારણ કે પુણ્યોદય પૂરો થતાં તેઓ પાછા હતા ત્યાં ને ત્યાં આવી જવાના અથવા પાપના ઉદયે દુઃખી થવાના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org