________________
૧૦. વૃષ્યષ્ટક
૧ ૩૯
બીજાઓના સુદઢ શરીરની મોહકતા એમની જ્ઞાનદષ્ટિને હવે આત્માની વિકૃતિરૂપ ભાસે છે. તેમને સર્વત્ર ચૈતન્યનાં જ દર્શન થાય છે. તેઓ જ્યારે ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે સમતાનો અનુભવ કરે છે, જે પરમ તૃપ્તિરૂપ હોય છે. [७४] स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी ।
- જ્ઞાનિનો વિષ: વિ સૈવેતિરિત્વ | ૨૦. ૨ | [શબ્દાર્થઃ =પોતાના ગુણો (જ્ઞાનાદિ) વડે; પર્વ=જ; તૃપ્તિ =તૃપ્તિ; વે=જો; માતં હંમેશાં; વિનશ્વરી=વિનાશ ન પામે તેવી; જ્ઞાનિન =જ્ઞાનીને; વિપર્વ =વિષયો વડે; વિં=શું પ્રયોજન છે ? તૈ: તે વિષયોનું વૈ=જે વડે;
=થાય છે; તૃપ્તિ =તૃપ્તિ; ત્વરી=થોડા કાળ માટે] અનુવાદ-જો જ્ઞાનીને પોતાના ગુણો વડે જ હંમેશાં વિનાશ ન પામે એવી તૃપ્તિ હોય, તો પછી જે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ થાય તે વિષયોનું શું પ્રયોજન છે? (૨)
વિશેષાર્થઃ એક વખત સાચી મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય પછી ખોટી નિરર્થક વસ્તુ માણસ છોડી દે છે. રત્નની પ્રાપ્તિ થાય પછી માણસ કાચને વળગી રહેતો નથી. જો વળગી રહે તો એની મૂર્ખમાં ગણના થાય છે.
ગૃહસ્થજીવન કરતાં મુનિજીવન ચડિયાતું છે, શ્રેષ્ઠ છે. સુંદર આકર્ષક વસ્ત્રાલંકાર ગૃહસ્થ સ્ત્રીપુરુષો માટે ભલે શોભારૂપ, ભૂષણરૂપ ગણાય, સાધુને માટે એ દૂષણરૂપ છે, વર્ષ છે. એટલે જ સાધુ ગૃહસ્થનાં વસ્ત્રાલંકાર ઇત્યાદિનાં વખાણ ન કરે. વખાણનો ભાવ પણ એમના મનમાં ન આવે. તેઓ એવા સુખી ગૃહસ્થોની પણ દયા જ ચિંતવતા હોય છે, કારણ કે તેમની આ શોભા એ માત્ર કર્મનો ખેલ છે.
જ્ઞાની સાધુમહાત્મા પોતાના આત્મિક ગુણોથી તૃપ્ત થયેલા હોય છે. સમ્યગૂદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ એમના આત્માના ગુણો છે. તત્ત્વસંવેદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org