________________
૧૪૦
જ્ઞાનસાર
દ્વારા એ પ્રગટ થયેલા છે. આ ગુણો વડે તેઓ પોતાના શુદ્ધાત્માનો, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે. તેઓ પોતાના ચૈતન્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ સ્વરૂપ ગુણોથી પરમ અવિનાશી તૃપ્તિ અનુભવે છે. જ્યાં આવી તૃપ્તિ અનુભવવા મળતી હોય ત્યાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દરૂપી વિષયોની ક્ષણિક તૃપ્તિ માટે તેઓ ઝંખના કેમ કરે ? એવી વિનાશી તૃપ્તિનું પછી પ્રયોજન કશું ન રહે. તેમને સમજાઈ ગયું હોય છે કે અનંત ભવોમાં અનંતવાર એવા વિષયો ભોગવ્યા છતાં આત્મદર્શન થયું નથી, પારમાર્થિક તૃપ્તિ થઈ નથી. તો પછી એવા વિષયો પાછળ દોડવાથી શું વળવાનું છે ? હકીકતમાં તો એથી ભવભ્રમણ જ વધવાનું છે. [૩૫] યા શૌરસાસ્વાવાદ્ ભવેત્ તૃતિયતક્રિયા !
સ ર નિવેદ્રિયદ્વાર પરસાસ્વાવનાપિ | ૨૦ | રૂ . [શબ્દાર્થ ા=જે; જાનૈ=એક માત્ર શાન્તરસના, અદ્વિતીય એવા ઉપશમ રસના; રસાસ્વાવત્રિરસાસ્વાદ કરવાથી, રસાસ્વાદના અનુભવથી; મવેzથાય છે; તૃપ્તિ =તૃપ્તિ; અતીન્દ્રિયા=ઇન્દ્રિયોને અગોચર, અતીન્દ્રિય; સા=0; ન=નથી; નિવેન્દ્રિયદાર = જિવા ઇન્દ્રિય વડે; પરસાસ્વાવના રસના ભોજનથી; પિ:=પણ.]
અનુવાદ–એક માત્ર શાન્ત રસના આસ્વાદથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે તે જિહવા ઇન્દ્રિય વડે છ રસના ભોજનથી પણ થતી નથી. (૩)
વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે તૃપ્તિ વિશે લખતાં અહીં વ્યતિરેક અલંકાર પ્રયોજીને, અન્ય પ્રકારની તૃપ્તિ કરતાં શાન્ત રસની તૃપ્તિ કેટલી બધી ચડિયાતી છે તેનો નિર્દેશ કર્યો છે.
રસથી તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે. ચિત્ત આનંદ અનુભવે છે, પણ રસ વિવિધ પ્રકારના હોય છે. ભોજનમાં પરસનું પ્રાધાન્ય છે. કવિતામાં-સાહિત્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org