________________
૧૦. તૃપ્યષ્ટક
૧૪૧
શૃંગારાદિ રસોનું પ્રાધાન્ય છે. ભોજનના રસો કરતાં કવિતાનાં રસો કેટલા ચડિયાતા છે તે આલંકારિકોએ બતાવ્યું છે. અલંકારશાસ્ત્રમાં પણ જે રસો બતાવ્યા છે તેમાં સાંસારિક રસો કરતાં પણ આધ્યાત્મિક શાન્ત રસ કેવો ઉત્કૃષ્ટ છે તે અહીં દર્શાવ્યું છે. ઇન્દ્રિયોથી ભોગવાતા રસ કરતાં ઇન્દ્રિયોને અગોચર એવા અનુભવગમ્ય શાન્ત રસનું સેવન આત્માર્થીઓ માટે ઉપકારક છે.
સાહિત્યમાં વિવિધ રસો ગણાવવામાં આવે છે. એમાં શુંગાર, વર અને કરુણ મુખ્ય રસ મનાય છે. તદુપરાંત હાસ્ય, ભયાનક, બીભત્સ વગેરે ગૌણ રસ બતાવાય છે. વળી ભક્તિ, વાત્સલ્ય અને શાન્ત રસની ગણના પણ થાય છે.
સાહિત્યમાં શાન્ત રસ એક ગૌણ રસ છે, પણ અધ્યાત્મમાં, આધ્યાત્મિક સાહિત્યમાં શાન્ત રસ એ મુખ્ય રસ છે. એ જ એક માત્ર સાચો રસ-રસનો રાજા કહેવાય છે.
શાન્ત રસની વ્યાખ્યા કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ શ્રી વિશ્વનાથે પોતાના “સાહિત્યદર્પણ' નામના ગ્રંથમાં નીચે પ્રમાણે આપી છેઃ
न यत्र दु:खं, न सुखं न चिन्ता, न रागद्वैषो न च काचिदिच्छा ।
रसः स शान्तः कथितो मुनिन्द्रैः सर्वेषु भावेषु समप्रमाणः ।। [જ્યાં દુઃખ ન હોય, સુખ ન હોય, ચિત્તા ન હોય, રાગદ્વેષ ન હોય, કોઈપણ પ્રકારની ઇચ્છા ન હોય અને સર્વ ભાવોમાં સમપ્રમાણ, (સમદૃષ્ટિ) હોય તેને મુનિઓમાં ઇન્દ્ર એવા મહાત્માઓ શાન્ત રસ કહે છે.]
દરેક રસનો એક સ્થાયી ભાવ હોય છે અને એના આલંબન વિભાવો તથા ઉદ્દીપન વિભાવો હોય છે. શાન્ત રસનો સ્થાયીભાવ શમ છે અને અનિત્યાદિ ભાવનાઓ એના આલંબન વિભાવો છે. જિનવાણી, ગુરુપ્રવચન, શાસ્ત્ર સ્વાધ્યાય, જિન પ્રતિમાદિનાં દર્શન ઇત્યાદિ એના ઉદ્દીપન વિભાવો છે.
ભોજનમાં જે વિવિધ પ્રકારના રસ છે તેનું વર્ગીકરણ છ મુખ્ય રસમાં કરવામાં આવે છેઃ મધુર, તીખો, ખાટો, તુરો, ખારો અને કડવો. તેમાં પણ વૈવિધ્ય ઘણું હોય છે, જેમકે મિષ્ટ મધુર રસ એટલે કે ગળ્યો રસ લઈએ તો શિખંડનું ગળપણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org