SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૨ જ્ઞાનસાર જલેબીનું ગળપણ, બરફીનું ગળપણ, કેરીનું ગળપણ, સીતાફળનું ગળપણ વગેરે દરેકમાં પોતપોતાની વિશિષ્ટતા હોય છે. અરે, ફક્ત કેરીના ગળપણની વાત કરીએ તો પણ જાતજાતની કેરીમાં પ્રત્યેક જાતની કેરીનું ગળપણ જુદું લાગે. એવી રીતે તીખો, ખારો, કડવો વગેરેમાં પણ ઘણુંબધું વૈવિધ્ય છે. જિવા દ્વારા આ બધા રસોનો અનુભવ થાય છે. પોતાને ભાવતા રસના ભોજનથી માણસને તૃપ્તિ થાય છે, પરંતુ આ બધા પોલિક રસો છે. આહારસંજ્ઞા પ્રદીપ્ત થતાં આ રસોનો આસ્વાદ માણી શકાય છે. પરંતુ આ ભોજનના રસોની મર્યાદા છે. કોઈપણ રસ અમુક મર્યાદાથી વધુ માણી શકાતો નથી. માણસ ભાવતી વસ્તુ વધારે પડતી ખાય તો બેચેની થાય છે, ક્યારેક ઊલટી પણ થાય છે. કોઈ એક રસનું વારંવાર વધુ પડતું સેવન કરવાથી રોગ પણ થાય છે. વધુ પડતા ગળપણથી મધુપ્રમેહ, વધુ પડતા ખાટા રસથી અમ્લપિત્ત, વધુ પડતા કડવા રસથી ચક્કર, વધુ પડતા તીખા રસથી ચાંદુ, બળતરા, હરસ વગેરે થાય છે. મતલબ કે ભોજનના રસોનો અતિભોગ નથી થઈ શકતો. એમાં મર્યાદા રાખવી જ પડે છે. પરન્તુ શાન્ત રસમાં આવું કોઈ જોખમ નથી. તેનું જેમ વધારે સેવન થાય તેમ તે વધુ આત્મહિતકર બને છે. શાન્ત રસ દ્વારા જ આત્મસ્વરૂપનો અનુભવ અને ઘાતી કર્મોની નિર્જરા થાય છે. શાન્ત રસ દ્વારા જ અંતે કેવળજ્ઞાન અને મોક્ષ છે. આમ, શાન્ત રસના આસ્વાદથી અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. [૬] સંસારે સ્વનિર્વાધ્ધિા તૃપ્તિઃ ચાતામિમાની ! तथ्या तु भ्रान्तिशून्यस्य साऽऽत्मवीर्यविपाककृत् ।। १० ।। ४ ।। [શબ્દાર્થઃ સંસારે=સંસારમાં; સ્વપ્નવસ્વપ્નની જેમ; મિથ્યા ખોટી, જૂઠી; તૃપ્તિ =તૃપ્તિ, સંતોષ; હોય છે; અપમાનિકી=અભિમાનથી-માન્યતાથી થયેલી; તા=સાચી; તુ=તો; પ્રાન્તિસૂચ=ભ્રાન્તિ વિનાનાને, મિથ્યાજ્ઞાનરહિતને; સા તે; માત્મવીર્ય આત્માનું વીર્ય; વિપા =વિપાક કરનાર, પુષ્ટિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy