________________
૨૮ ૨
જ્ઞાનસાર
અનુવાદઃ જાતિ આદિની ઉત્પત્તિની વિષમતાથી કર્મની સૃષ્ટિ, ઊંટની પીઠની જેમ વિષમ દીઠી છે. એમાં યોગીને શી પ્રીતિ થાય? (૪)
વિશેષાર્થ કર્મની વિચિત્ર, વિષમ ગતિને કારણે સંસારમાં જે વિષમતા જોવા મળે છે તે માટે અહીં ઉદાહરણ ઊંટનું આપવામાં આવ્યું છે. ઊંટની ફક્ત પીઠ જોઇએ તો પણ એ કેટલી વાંકીચૂંકી હોય છે ! કવિ દલપતરાયે એક કાવ્યમાં કલ્પના કરી છે કે ઊંટ ફરિયાદ કરે છે કે પ્રાણીઓમાં કોઈકની પૂંછડી વાંકી છે તો કોઈકનાં શિંગડાં વાંકા છે, ત્યારે શિયાળ એને સંભળાવે છે:
અન્યનું તો એક વાંકુ, આપનાં અઢાર છે. ઊંટના અઢારે અંગ વાંકાં હોય છે. ઊંટની જેમ કર્મનું પણ વાંકાપણું સંસારમાં હંમેશાં જોવા મળે છે. કોઈ જાહેર રસ્તા પર એકાદ કલાક ઊભા રહીને પસાર થતા જતા લોકોના ચહેરા, વસ્ત્રાલંકારો, ચાલ વગેરેનું અવલોકન કરીએ તો કર્મની ગતિનો ખ્યાલ આવે છે. દુનિયામાં જાતિ, કુળ, વૈભવ વગેરેમાં એટલી બધી અસમાનતા છે કે તે જોઈને યોગી મહાત્માઓને સંસાર પ્રત્યે પ્રેમ થતો નથી. સંસાર પ્રત્યે ઉદ્વેગ થાય છે. વાચક ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ' ગ્રંથમાં લખ્યું છેઃ
जातिकुलदेहविज्ञानायुर्वलभोगभूतिवैषम्यम् ।
दष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ॥ [જાતિ (માતૃપક્ષ), કુળ (પિતૃપક્ષ), દેહ, વિજ્ઞાન (બુદ્ધિચાતુર્ય), આયુષ્ય, બળ અને ભોગની પ્રાપ્તિનું વૈષમ્ય (વિષમપણું) જોઈને વિદ્વાનોને (જ્ઞાનીઓને) ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થાય ?]
શ્રી ઉમાસ્વાતિજીએ સાચું જ કહ્યું છે કે જાતિ, કુળ, બળબુદ્ધિ, વગેરેમાં જો માત્ર શ્રેષ્ઠતા જ જોવા મળતી હોય તો માણસને એમાં રતિ-પ્રીતિ થાય, પરંતુ એમાં ઘણું ચડતાઊતરતાંપણું દેખાતું હોય તો વિચારશીલ માણસને પ્રશ્ન થાય કે આમ કેમ બને છે ? એનાં કારણો જો સમજાઈ જાય તો માણસને એમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org