SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨ ૮૧ દંતકથાઓમાં આવે છે તેમ, રાજાને કોઈ પુત્ર ન હોય તો રાજગાદી પર બેસાડવા માટે નગરમાં કળશ સાથે હાથ ફેરવવામાં આવતો અને હાથી જેના ઉપર કળશ ઢોળે તેને રાજગાદી આપવામાં આવતી. તે સિંહાસન પર બેસતો અને તેને માથે છત્ર રહેતું તથા આગળ પાછળ રક્ષકો રહેતા. વર્તમાન સમયમાં લોકશાહીમાં ગામડાનો કોઈ અભણ માણસ ચૂંટણી જીતીને મિનિસ્ટર બને તો એને પણ અંગરક્ષકો મળે. વર્તમાન સમયમાં જાતિકુળના ભેદો દુનિયાભરમાંથી, મુખ્યત્વે મોટા શહેરોમાંથી નીકળવા લાગ્યા છે, તો પણ આનુવંશિક જાતિઓ, પછાત જાતિઓ વગેરેના ભેદ તથા સંસ્કાર અને બુદ્ધિચાતુર્યના ભેદ તો રહેવાના. વળી આર્થિક અસમાનતા પણ રહેવાની. એમાં ઓછી યોગ્યતાવાળો માણસ ઊંચા પદ પર પહોંચી જાય, ખોટા માણસને લાગવગથી ચંદ્રક કે માનપત્ર મળે એવી ઘટનાઓ બનતી રહેવાની. આવું જ બને છે તેમાં એમનો પુણ્યોદય રહ્યો હોય છે. પૂર્વે કરેલાં એમનાં શુભ કર્મો ઉદયમાં આવી એમનો અભ્યદય કરે છે. કેટલાકનો એવો અભ્યદય જીવન પર્યત ચાલે છે અને કેટલાકનો અભ્યદય અલ્પકાલીન હોય છે. નામકર્મ અને ગોત્રકમ એકસરખાં જ હોય એવું નથી. જાતિકુળ ગોત્રકર્મ અનુસાર મળે છે અને શરીરસંપત્તિ, અવાજ, મુખાકૃતિ, યશકીર્તિ ઇત્યાદિ નામકર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. કર્મની લીલા અપાર વૈવિધ્યવાળી અને ક્યારેક તો અકળ હોય છે. [૧૬૪] વિષમ ર્મા: ર્દિષ્ટ રમપૃષ્ઠવત્ ા जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः ।।२१।।४।। [શબ્દાર્થ વિષમ=વિષમ, સરખી નહિ એવી; કર્મળ =કર્મની સ્મૃષ્ટિ:=સૃષ્ટિ,રચના; દD=દીઠી છે, જોઈ છે, જાણેલી છે; રમ=ઊંટ; પૃષ્ઠવ=પીઠના જેવી; નાત્યાતિ જાતિ આદિની; મૂતિવૈષપાત–ઉત્પત્તિની વિષમતાથી; વા=શી; રતિ=રતિ; તત્ર=તેમાં; યોનિ:=યોગીને.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy