________________
૨૮o
જ્ઞાનસાર
ઇતિહાસ પર નજર ફેરવીએ તો કેટકેટલા રાજ્યાધીશો-સત્તાધીશોનાં અધ:પતન થયાં છે ! વર્તમાન સમયનો વિચાર કરીએ તો કેટલાયે સરમુખત્યારોના બેહાલ થયા છે, ભાગીને સંતાઈ જવું પડ્યું છે, મહેલમાંથી મહૂલીમાં રહેવું પડ્યું છે. ક્યારેક ભાગી જતાં, રસ્તામાં પકડાઈ જતાં ત્યાંજ લોકોના ટોળાએ મારી નાખ્યા છે.
માત્ર રાજાઓની બાબતમાં જ નહિ, વેપાર ધંધામાં અને વિવિધ સામાજિક ક્ષેત્રોમાં પણ કર્મના ઉદયે માણસોની ચડતી પડતીની વિચિત્ર ઘટનાઓ બનતી વારંવાર જોવા મળે છે. આવી બધી ઘટનાઓ પરથી કર્મની વિચિત્ર ગતિનો વિચાર આવે છે. [૧૬] નાતિવાતુર્યહીનોડપિ ફર્મવડુયાવરે !
क्षणाद् रङ्कोऽपि राजा स्यात् छत्रच्छन्नदिगन्तरः ।।२१।।३।। [શબ્દાર્થ જ્ઞાતિવાતુર્યહીનોfપ જાતિ અને ચાતુર્યથી હીન હોવા છતાં; fણ કર્મ વિશે; અમ્યુદયાવ=અભ્યદય થવાથી; લગા=ક્ષણમાં; ફ્રોડપિ=રક પણ; રાના=રાજા; ચા=થાય છે; છત્રછન્નEછત્ર વડે ઢાંક્યા છે; વિન્તર:=દિશાઓના ભાગને..
અનુવાદઃ જાતિ અને ચાતુર્યથી હીન હોવા છતાં કર્મનો અભ્યદય થવાથી, રંક માણસ પણ ક્ષણવારમાં છત્ર વડે દિશામંડળને ઢાંકનાર રાજા થઈ જાય છે. (૩)
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જણાવ્યું તેમ રાજા પણ ભીખ માગતો થઈ જાય છે તેમ બીજી બાજુ સામાન્ય, રંક જેવો માણસ શુભ કર્મના ઉદયે રાજા થઈ જાય છે. જૂના વખતમાં વર્ણાશ્રમની પ્રથા દૃઢ હતી અને જાતિ (મોસાળ, માતૃપક્ષ) કુળ (પિતૃપક્ષ) કેવાં છે એની વિચારણા થતી. તેવે વખતે જાતિ અને કુળનાં ઠેકાણાં ન હોય અને બુદ્ધિચાતુર્યમાં માણસ હીન હોય એવો ઠોઠ, માણસ અચાનક ભાગ્યપલટો થતાં ઠેઠ રાજ્યસિંહાસન પર બિરાજમાન થઈ જતો. જૂના વખતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org