________________
૧૪. વિદ્યાષ્ટક
૧૯૭
ભાર=ક્ષણભંગુર, વિનશ્વર, નાશવંત; વપુઃ શરીરને.]
અનુવાદ-બુદ્ધિમાન પુરુષ લક્ષ્મીને સમુદ્રના તરંગ જેવી ચંચળ, આયુષ્યને વાયુની જેમ અસ્થિર અને શરીરને વાદળાંની જેમ ક્ષણભંગુર ચિંતવે. (૩)
વિશેષાર્થ : સમગ્ર જગત અનિત્ય, ક્ષણભંગુર છે એમ ઘણા કહે છે, પરંતુ એમના જીવનવ્યવહારમાં એમ જોવા મળતું નથી. પરંતુ જેઓ નિપુણ બુદ્ધિવાળા છે, ડાહ્યા છે, વિદ્યાવાન છે, જ્ઞાનવાન છે તેમના જીવનવ્યવહારમાં ભોતિક પદાર્થોની ક્ષણભંગુરતા લક્ષ બહાર હોતી નથી. એમની પ્રવૃત્તિ પણ એ પ્રમાણે હોય છે.
અનેક ક્ષણભંગુર વસ્તુઓમાંથી અહીં ત્રણ મુખ્ય વસ્તુઓ બતાવવામાં આવી છેઃ (૧) લક્ષ્મી, (૨) જીવન અને (૩) શરીર. અહીં ફક્ત ત્રણ જ વસ્તુની વાત કરવામાં આવી છે, પણ એટલા ઉપરથી એમ સમજવાનું નથી કે બાકીની વસ્તુઓની ક્ષણભંગુરતા નથી. અહીં તો ઉદાહરણરૂપ ત્રણ મુખ્ય વસ્તુ ગણાવી છે, કારણ કે બધા જ સંસારી મનુષ્યોના જીવનમાં આ ત્રણ વસ્તુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં પણ સૌથી મહત્ત્વનું તે પોતાનું શરીર છે. એના સુશોભન માટે પ્રયત્ન ન કરવામાં આવે તો પણ એના પોષણ માટે તો દિવસ રાત મહેનત કરવી પડે છે.
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવન છે. શરીર અને જીવનનો અવિનાભાવ સંબંધ છે. શરીર અને જીવન માટે આહાર, પાણી, વસ્ત્ર, રહેઠાણ ઇત્યાદિ પાયાની આવશ્યકતારૂપી સંપત્તિની આવશ્યકતા રહે છે. આ લક્ષ્મીનો જ એક પ્રકાર છે. વ્યવહારમાં લક્ષ્મીના ધન, ઘરેણાં, શેર, જમીન, મકાન ઇત્યાદિ પ્રકારો હોય છે.
જ્ઞાની સાધકો આ બધાની વચ્ચે રહેતા હોવા છતાં એમને લક્ષ્મી સમુદ્રના તરંગ જેવી ચંચળ, આયુષ્ય વાયુના જેવું અસ્થિર અને પુગલસ્કંધોનું બનેલું શરીર વાદળા જેવું વિનશ્વર, નાશ પામવાના સ્વભાવવાળું જણાય છે. તેઓ આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ રૂપી લક્ષ્મીને મહત્તા આપે છે અને આત્મગુણોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org