SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર નિત્યં=અનિત્ય, વિનાશી; પરસંડાનં=પર વસ્તુના સંબંધને; છત્નકછિદ્ર; ધુ =મેળવવાને; ન નોતિ=સમર્થ થતો નથી; તદ્ય તે ના; મોહમતિનુ =મોહરૂપી ચોર.] અનુવાદ-જે આત્માને નિત્ય સ્વરૂપે જુએ છે અને પર સંયોગને અનિત્ય તરીકે જુએ છે તેનું છિદ્ર મેળવવાને મોહરૂપી ચોર (અલિલ્લુચ) સમર્થ થતો નથી. (૨) વિશેષાર્થ : મોહને અહીં જૂના વખતના ચોર તરીકે ઓળખાવવામાં આવ્યો છે. ચાર દિવસે ચોરી કરે નહિ. રાતને વખતે અંધારામાં ચોરી કરે. તે ઘરના મુખ્ય દરવાજેથી દાખલ થાય નહિ. પરંતુ ઘરની પાછળની કે બાજુની ભીંતમાં છિદ્ર (બાકોરું) પાડી દાખલ થાય અને ચોરી કરીને ત્યાંથી પલાયન થઈ જાય. ઘરનાં માણસો સૂતાં રહે અને ઘરમાં ચોરી થઈ જાય. જ્યાં દિવસનો ઝળહળતો પ્રકાશ હોય અથવા રાતના ઘરમાં દીવાનો બરાબર પ્રકાશ હોય અને ઘરનાં લોકો જાગતાં હોય ત્યાં ચોર ચોરી કરવા દાખલ થાય નહિ. જેઓ આત્મતત્ત્વને નિત્ય તરીકે જુએ છે અને પરપુગલોના સંયોગોને અનિત્ય તરીકે જુએ છે તેઓના આત્મપ્રદેશમાં મોહરૂપી ચોર પ્રવેશ કરી શકતો નથી. આત્મા અવિનાશી છે અને શરીરાદિ પોગલિક સંયોગો વિનશ્વર છે એમ મુખેથી કહેવું સહેલું છે. પરંતુ તે પોતાના અભિપ્રાયમાં ઊતરવું જોઈએ અને આચરણમાં પરિણમવું જોઈએ. [૧૦]તરતિરતાં નક્ષ્મીમયુર્વાયુવસ્થિરમ્ | પ્રઘીરનુધ્યાયે પ્રવત્ મધુરંવપુ: . ૨૪ ૫ રૂ I [શબ્દાર્થ તર:= તરંગ, સમુદ્રના મોજા; તરતાં–તરલ, ચંચળ તક્ષ્મીમ=લક્ષ્મીને; માયુ =આયુષ્યને; વાયુવઠ્યવાયુના જેવું; અસ્થિરઅસ્થિર; મવથી:= નિપુણ બુદ્ધિવાળો; અનુધ્યાયેવિચારે, ચિતવે; અથવ=વાદળાં જેવુ; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy