________________
૧૪. વિદ્યાષ્ટક
વિદ્યા એટલે સમ્યકત્વ અને અવિદ્યા એટલે મિથ્યાત્વ. પુદ્ગલ વગેરેમાં સુખ શોધવું એ મિથ્યાત્વ છે. આત્મામાં સુખ શોધવું એ સમ્યકત્વ છે.
પુલ-સ્કંધોનો બનેલો દેહ જડ છે અને એમાં રહેલો આત્મા ચેતન છે. પરંતુ મિથ્યાત્વને કારણે જીવો દેહને આત્મા માનીને જીવે છે. અહબુદ્ધિ અને મમતાબુદ્ધિને કારણે જે દેહથી આત્માની ભિન્નતા સમજતા નથી તેઓ એવી ભિન્નતા તો અનુભવી જ ક્યાંથી શકે ? શરીર જાડું થયું એટલે હું (આત્મા) જાડો થયો એમ અબુધ જીવો સમજે છે. “સમાધિશતક'માં કહ્યું છેઃ
घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते यथा ।
घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते यथा । જેિમ જાડું વસ્ત્ર પહેરનાર પોતાને જાડો માનતો નથી, તેમ પોતાનું શરીર જાડું હોય તો પણ જ્ઞાની પોતાના આત્માને જાડો માનતો નથી.]
દેહને આત્મા માનવો એ અવિદ્યા છે, તેવી રીતે અનિત્ય, ક્ષણભંગુર દેહને નિત્ય, શાશ્વત માનીને જીવવું એ પણ અવિદ્યા છે. સામાન્ય માણસો ભલે દેહને પવિત્ર કહે પણ શરીરના નવ દ્વાર દ્વારા વહેતા મળને કારણે શરીરને શુચિમય, પવિત્ર માની ન શકાય. તત્ત્વબુદ્ધિવાળા તો શરીરને અપવિત્ર, અશુચિમય જ કહેવાના.
ઉપાધ્યાયજી મહારાજે અહીં જૈનાચાર્યોને બદલે ‘યોગાચાર્યો' શબ્દ પ્રયોજ્યો છે. યોગાચાર્યોમાં જૈનાચાર્યો આવી જ જાય. વસ્તુતઃ યોગાચાર્યમાં જૈન-અર્ચન સર્વ આચાર્યો આવી જાય કે જેઓ સમ્યક બુદ્ધિવાળા છે. જૈન દર્શનને વ્યક્તિ સાથે નહિ પણ સમ્યકત્વ સાથે સંબંધ છે. [૧૦]ય: પત્રિયમલ્મિનિમનિર્ચ પર સંમમ્ |
__ छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।। १४ ।। २ ।। [શબ્દાર્થ :=; પચ્ચે =જુએ છે; નિત્યં=નિત્ય, અવિનાશી; માત્માનં=આત્માને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org