SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જ્ઞાનસાર વૃદ્ધિ અર્થે પ્રયત્નવાન હોય છે. જ્યારે વિદ્યા પ્રગટે છે અને મોહદશા દૂર થાય છે ત્યારે લક્ષ્મી, આયુષ્ય અને દેહના તાત્ત્વિક સ્વરૂપનું એને ભાન થાય છે. [૧૮] સુવીચAgવીજતું સમડણવિસંમવે નતાવિના શૌચશ્ચમો મૂઠસ્થ રા: II ૨૪ | ૪ | [શબ્દાર્થ : ગુવીનિઃશુદ્ધ, પવિત્ર પદાર્થને; પિકપણ; અશુવીd=અશુચિ, અપવિત્ર કરવાને; સમર્થે સમર્થ; કવિસંમ=અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા; રે;=શરીરમાં; નસ્તાવિના=જળ વગેરેથી; શૌચક્રમ:=શોચનો, શુદ્ધિનો, પવિત્રતાનો ભ્રમ, મૂઢચ=મૂઢ માણસને; વાગ:=ભયંકર.] અનુવાદ–પવિત્ર પદાર્થને પણ અપવિત્ર કરવામાં સમર્થ અને અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલ એવા દેહને પાણી વગેરેથી પવિત્ર કરવાનો મૂઢ માણસનો ભ્રમ ભયંકર છે. (૪) વિશેષાર્થ : અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં દેહની પવિત્રતા પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. વાતે વાતે સ્નાન કરવાની, ક્યારેક તો માટીથી શરીરને ઘસીને સ્નાન કરવાની અને એ રીતે દેહને પવિત્ર બનાવવાની પ્રથા પ્રવર્તે છે. તીર્થસ્નાનનો પણ એટલો જ મહિમા છે. આત્માની શુદ્ધિ અને પવિત્રતાની વાત બાજુ પર મૂકી ને, એને ગૌણ ગણીને કે એની અવજ્ઞા કરીને માત્ર દેહની પવિત્રતા પર ભાર મૂકવામાં આવે એ એક પ્રકારનો મોહ છે. શરીર અશુચિમય છે, પરંતુ બાહ્ય ત્વચાને કારણે તે રૂપાળું લાગે છે. એને વધુ રૂપાળું બનાવવા માટે માણસ જાતજાતના સાધનો શોધે છે અને અજમાવે છે. વર્તમાન સમયમાં તો એનો અતિરેક થતો જાય છે. કેટલીક ક્રિયાવિધિ માટે દેહને સ્નાન વગેરેથી શુદ્ધ રાખવાની કે મુખશુદ્ધિ કરી લેવાની વ્યવહારદષ્ટિએ આવશ્યકતા હોવા છતાં એ ન ભૂલવું જોઈએ કે દેહ માત્ર સાધન છે, સાધ્ય નથી. વળી દેહની જે કંઈ શોભા છે તે અંદર રહેલા ચેતનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy