________________
૧૪. વિદ્યાષ્ટક
આધારે છે. દેહમાંથી ચેતન તત્ત્વ નીકળી જતાં મડદાંને કોઈ સંઘરતું નથી. તરત એ કોહવાય છે. એટલે લોકો તરત એને બાળી નાખે છે કે દાટી દે છે.
એટલા માટે શરીરના સ્વરૂપને યથાર્થ દૃષ્ટિએ સમજી લેવું જોઈએ. એક દૃષ્ટિએ જોઈએ તો શરીર એ સુગંધી પદાર્થોને દુર્ગધમય બનાવવાનું એક મંત્ર છે. ભોજનમાં સરસ, સ્વાદિષ્ટ, સુગંધી પદાર્થો લીધા હોય તો પણ પેટમાં જતાં તે દુર્ગધમય બની જાય છે. સ્વચ્છ, શીતલ જલનું પાન કર્યું હોય, શરબતો પીધાં હોય તો પણ ઉદરમાં એ જલ મલિન ગંધાતું બનીને બહાર આવે છે. કેસર, કસ્તુરી જેવા અત્યંત કિંમતી સુગંધી પદાર્થો ખાધા હોય તો પણ તે વિષ્ટારૂપે પરિણમે છે. ખાવાપીવાની વાત તો ઠીક, પણ શરીર પર સ્વચ્છ, સુંદર વસ્ત્ર ધારણ કર્યું હોય તો તે પણ મેલ અને પરસેવાથી મેલું ગંધાતું બની જાય છે. ચંદનનું વિલેપન કર્યું હોય કે સુગંધી અત્તરો અને એવા પદાર્થો ચોપડ્યા હોય તો પણ તે થોડા કલાકમાં ખરાબ થઈ જાય છે. પવિત્રને અપવિત્ર બનાવવાની સુંદર દેખાતા શરીરની પ્રકૃતિ છે.
આવા અશુચિમય શરીરની ઉત્પત્તિનો જો વિચાર કરીએ તો તે પણ અશુચિમય જ છે. પિતાના શુક્ર અને માતાના શોણિતના સંસર્ગથી દેહની ઉત્પત્તિ થાય છે અને એવા જ અશુચિમય પુદ્ગલ-પરમાણુઓના આહારથી એ શરીરનું પોષણ થાય છે. “ભવભાવનામાં લખ્યું છે:
सुक्कं पिउणो माउए सोणियं तदुभयं पि संसटुं ।
तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो ।। પિતાનું શુક્ર અને માતાનું શોણિત એ બંનેનો સંસર્ગ થવાથી ત્યાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમ તેનો આહાર કરે છે.]
આમ અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી પોષાયેલા અને અશુચિથી ભરેલા દેહને સાધનને બદલે સાધ્ય માની તેને પવિત્ર બનાવવાનો મૂઢ માણસોનો પુરુષાર્થ અતિ ભયંકર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org