________________
૨૦૦
જ્ઞાનસાર
વસ્તુતઃ તાત્ત્વિક સ્નાન દ્વારા આત્માને પવિત્ર બનાવવો જોઈએ. એ કેવી રીતે બનાવી શકાય તે હવે પછીના શ્લોકમાં બતાવવામાં આવે છે. [૧૦] : નવી સમતાલુકા હિન્દી ઋતi મત
પુનર્નયાતિ માનિચં તોડનાભિ પર: શુચિ: I ૨૪ / ૧ / [શબ્દાર્થ : :=જે; નાટ્વી=સ્નાન કરીને; સમતાપુખ્ત=સમતારૂપી કુંડમાં; fહત્વ=ત્યજીને, છોડીને; ઋતi=પાપથી ઉત્પન્ન થયેલા; મન્ન=મેલને; પુન:=ફરીથી; ન=નથી; યાતિ=પામતો; માત્ર=મલિનતા; 1:50; મન્તરાત્મા=અંતરાત્મા; પર:=અત્યંત; સુવિ=પવિત્ર.]
અનુવાદજે સમતારૂપી કુંડમાં સ્નાન કરીને, પાપથી ઉત્પન્ન થયેલા મેલને દૂર કરીને ફરીથી મલિનતાને પામતો નથી તે અંતરાત્મા પરમ પવિત્ર છે. (૫) વિશેષાર્થ શરીરની નહિ પણ આત્માની પવિત્રતા કેવી રીતે થાય તેનો ઉપાય અહીં બતાવવામાં આવ્યો છે. ઘરમાં થોડું પાણી શરીર પર રેડીને નહાવાથી શરીર જેટલું સ્વચ્છ થાય એના કરતાં સ્વચ્છ જલનાં કુંડમાં અથવા ટબમાં પડીને સાબુ વગેરે શરીરે ઘસીને સ્નાન કરવાથી શરીર વધારે સ્વચ્છ થાય છે. એથી શરીરે લાગેલો મેલ નીકળી જાય છે. અલબત્ત, નાહીને બહાર આવ્યા પછી એક દિવસરાતમાં જ શરીર પાછું મેલું થઈ જાય છે કે જેથી બીજે દિવસે ફરી સ્નાન કરવાની જરૂર પડે છે.
અહીં એવા અન્તરાત્માની વાત કરવામાં આવી છે કે જેઓ સમતારૂપી કુંડમાં સ્નાન કરીને પોતાનો પાપજન્ય બધો મેલ દૂર કરે છે. આવો સમ્યકત્વવાસિત આત્મા અત્યંત પવિત્ર છે. તે સમતાકુંડમાં સ્નાન કરીને બહાર આવે પછી એને મેલ લાગતો નથી, લાગે તો તે અલ્પ પ્રમાણમાં હોય છે. શાસ્ત્રનું વચન છે કે જીવને એક વખત સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે ત્યાર પછી એના ભવભ્રમણનો કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનથી કંઈક ન્યૂન રહે છે. સમ્યગુદૃષ્ટિ જીવની રાગદ્વેષની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org