________________
૧૪. વિદ્યાષ્ટક
૨૦૧
પરિણતિ મંદ પડતી જાય છે. એવા આત્માને અંતરાત્મા કહેવામાં આવે છે. શાસ્ત્રીય દૃષ્ટિએ આત્માના સંપૂર્ણ વિકાસક્રમની દૃષ્ટિએ ત્રણ પ્રકાર બતાવ્યા છેઃ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એટલે પીગલિક સુખોમાં રાચનાર. તે મિથ્યાદૃષ્ટિ હોય છે. જ્યારે એનું મિથ્યાત્વ મંદ પડી જાય છે ત્યારે એની ભવભ્રમણની મર્યાદા ઓછી થાય છે. અને તે ચરમાવર્તિમાં આવે છે. જીવને જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે તે ચોથા ગુણસ્થાનકે આવે છે. તે બહિરાત્મામાંથી અંતરાત્મા બને છે. તે સમતારૂપી કુંડમાં સ્નાન કરીને કર્મરૂપી મળને ઓછો કરતો જાય છે. ચોથાથી બારમા ગુણસ્થાનક સુધીનો જીવ અંતરાત્મા કહેવાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જીવ પરમાત્મા બને છે. કેવળજ્ઞાનથી સિદ્ધાવસ્થા સુધીનો આત્મા પરમાત્મા કહેવાય છે. [૧૧૦]ઝાભવોઘો નવ: પાશો હેરોઇંઘનાવિપુ
ય: ક્ષિપ્તોડધ્યાત્મના તેવુ સ્વસ્થ વાયનાયતે II ૨૪ ૬ / [શબ્દાર્થ ઃ માત્મવો =આત્મબોધ, આત્માપણાની બુદ્ધિ, પોતાપણાનો ભાવ; નવ=નવો; પાશ:=પાશ, ફાંસો દેહોદયનાવિવું=શરીર, ઘર અને ધનાદિમાં; ય =જે (પાશ) ક્ષિપ્ત =નાખેલો, નંખાયેલો; માત્મના આત્મા વડે; પોતાનાથી, તેવું તેમાં, શરીર વગેરેમાં; સ્વસ્થ પોતાના; વાય=બંધને માટે; ગાયતે= થાય છે.]
અનુવાદશરીર, ઘર અને ધન વગેરેમાં આત્મપણાની બુદ્ધિ થવી એ કોઈ નવી જ જાતનો પાશ (ફાંસો) છે, જે પોતાનાથી (આત્મા વડે) તેમાં (શરીરાદિમાં) નખાયેલો હોવા છતાં તે પોતાના જ બંધ માટે થાય છે. (૬)
વિશેષાર્થ શરીર, ધન, માલમિલકત વગેરે સાથેના આત્માના વિષયમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ કલ્પના કરી છે.
જૂના વખતમાં ભાલો, તલવાર, ત્રિશૂળ, ફરસી વગેરે હથિયારોની જેમ એક હથિયાર તે “પાશ” હતું. પાશ એટલે ગાળિયો. લાંબા મજબૂત દોરડાને છેડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org