________________
૨૪૬
જ્ઞાનસાર
આપણે પોતે ભવરૂપી સમુદ્રમાં પાર ઊતરવા જઈએ તો ડૂબી જઈએ. બીજા આપણા ગુણરૂપી દોરી પકડીને ભવસમુદ્રમાં પાર ઊતરી જાય છે. આશ્ચર્યની વાત એ છે ગુણ આપણા પોતાના અને લાભ બીજાને થાય છે. પણ એ જ તો ખરું સમજવાનું છે.
ગુણનું સ્વરૂપ એવું છે કે આપણે આપણા ગુણ ગોપવવા જોઈએ અને બીજાના પ્રકાશિત કરવા જોઈએ. તો જ એ આપણને ભવ પાર ઊતરવામાં મદદ કરે છે. [૧૪] ૩ષ્યવ્રુષ્ટિકોષોત્યસ્વોત્કર્ષqશાન્તિલમ્ !
પૂર્વપુરુષસિગ્યો કૃશ ની વાવનમ્ II ૨૮ | ૪ [શબ્દાર્થ : ૩ષ્યત્વ=ઉચ્ચપણું; દોષોલ્ય=દષ્ટિના દોષોથી ઉત્પન્ન થયેલ; સ્વોર્ષq૨=પોતાના ઉત્કર્ષ (અભિમાન) રૂપી જ્વર; શાન્તિ–શાન્તિ કરનાર પૂર્વપુરુષસિંખ્ય =પૂર્વપુરુષરૂપી સિંહો દ્વારા; મુશ=અત્યંત; ની –=હીનત્વ; ન્યૂનપણું; ભાવનભાવના.]
અનુવાદ-પોતાના ઉચ્ચપણાના દૃષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલા સ્વઉત્કર્ષના જુવરને શાંત કરવા પૂર્વે થઈ ગયેલા સિંહ જેવા મહાપુરુષોથી થયેલી પોતાની અત્યંત ન્યૂનપણાની ભાવના કરવી. (૪)
વિશેષાર્થ : મનુષ્યમાં એક નબળાઈ છે. તે ચતુર પણ છે. પોતાની મહત્તા, કીર્તિ ઇત્યાદિ બતાવવા માટે વર્તુળ નાનું કરી નાખવું. ઉ. ત. વિદ્યાર્થી એમ કહે કે અમારા રાજ્યમાં હું પહેલે નંબરે આવ્યો હતો. પણ ત્યાં પહેલો ન હોય તો કહે કે “અમારા જિલ્લામાં હું પહેલે નંબરે..” એમ કરતાં તાલુકો, કસબો, નગર અને તેમ ન હોય તો એમ કહે કે “અમારી શાળામાં હું પહેલે નંબરે આવ્યો હતો. આમ, કોઇ પણ પ્રકારની સિદ્ધિ ને નાના વર્તનમાં મોટી બતાવી શકાય છે. પરંતુ એમાં અભિમાન પોષાય છે અને અભિમાન એક પ્રકારનો જવર છે, તાવ છે. એ વધુ પડતો માથે ચડી જાય તો માણસ લવારી પણ કરવા લાગે છે. કેટલાક લોકો ખરેખર જીવનમાં વિનમ્ર, વિનયી અને પોતાની જાતને ગૌણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org