________________
૧૮. અનાત્મશંસાષ્ટક
૨ ૪૭.
રાખવામાં માને છે, એટલું જ નહિ એમની એવી પ્રકૃતિ છે અને ધર્મમાં એવી શ્રદ્ધા છે, તેઓ પોતાની મહત્તા ન થાય તે માટે પોતાની સિદ્ધિ અંગેના ક્ષેત્રના વર્તુળને વિસ્તારી દે છે અને કહે છે “અરે, હું તો કાંઈ નથી. આ ક્ષેત્રમાં તો મોટા મોટા દિગ્ગજો છે.”
ઉપાધ્યાયજી મહારાજ આવો જ રસ્તો સાધનાના માર્ગમાં બતાવે છે. ભૂતકાળનો વિચાર કરીએ તો આ અવસર્પિણીમાં કેવા કેવા મોટા મોટા મહાત્માઓ થઈ ગયા! એમની પાસે તો હું કંઈ જ નથી. “રઘુવંશ' કાવ્યમાં કવિ કાલિદાસે કહ્યું હતું, ‘વ સૂર્ય–પ્રમવો વંશ: 4 વાલ્વ વિષયા મતિઃ | હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે કે ક્યાં સિદ્ધસેન મહારાજની અર્થગંભીર સ્તુતિ અને ક્યાં મારી ?' મોટા મોટા તીર્થકરો થઈ ગયા, ગણધર ભગવંતો થઈ ગયા, કેવળજ્ઞાનીઓ થઈ ગયા, પૂર્વાચાર્યો થઈ ગયા, એની આગળ હું શી વિસાતમાં ?' કહ્યું છેઃ
धन्नो धन्नो वयरो सालिभद्दो य थूलभद्दो य ।
जेहिं विसयकसाया चत्ता रत्ता गुणे नियए ।। [ધન્યકુમાર, વજસ્વામી, શાલિભદ્ર અને સ્થૂલભદ્રને ધન્ય છે કે જેઓ વિષય અને કષાયોનો ત્યાગ કરીને આત્મગુણોમાં રક્ત થયા છે.]
આમ, સ્વોત્કર્ષ અર્થાત્ પોતાના અભિમાનરૂપી તાવ જ્યારે આવે ત્યારે પૂર્વાચાર્યો, પૂર્વે થઈ ગયેલા મોટા મોટા મહાત્માઓના સ્મરણ રૂપી ઔષધ લેવામાં આવે તો એ તાવ તરત ઊતરી જાય છે. [૧૪૧] શરીરરૂપનાવથગ્રામIરામથનાવિમઃ |
૩ઃર્ષ પ૨પર્યાયશ્ચિતનધનસ્થ : II ૨૮ / ૧ / [શબ્દાર્થ શરીર–પ–સ્રાવળ્યું=શરીરનાં રૂપ અને લાવણ્ય; મારામાપનાવિપિ = ગ્રામ, આરામ (બગીચા-વાડી), ધન વગેરે દ્વારા; સર્ષ =ઉત્કર્ષ, અભિમાન; પરપર્યા.=પદ્રવ્યના પર્યાયો (ધર્મો) વડે; વિદ્વાનંદધનસ્પ=ચિદાનંદ (જ્ઞાન અને આનંદ)થી પૂર્ણ એવા આત્માને; =શું..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org