________________
૨ ૪૮
જ્ઞાનસાર
અનુવાદ–ચિદાનંદથી પૂર્ણ એવા આત્માને શરીરનાં રૂપલાવણ્ય, ગામ, બગીચા (આરામ), ધન વગેરે પરપર્યાયો વડે શું અભિમાન (ઉત્કર્ષ) હોય? (૫)
વિશેષાર્થ આત્મપ્રશંસામાં ક્યારેક પોતાનાં સુદઢ શરીર માટે, ક્યારેક સૌન્દર્ય માટે, ક્યારેક હવેલી માટે, બાગબગીચાઓ માટે અને વર્તમાન સમયમાં મોટરગાડી, બંગલા, ઑફિસો, નોકરચાકરો માટે અભિમાનયુક્ત શબ્દો બોલાય છે, અથવા અન્ય કોઈ પ્રશંસા કરતું હોય તો તે ગમે છે. પરંતુ આ બધી ક્ષુલ્લક એષણાઓ છે. વળી ધનસંપત્તિ ઇત્યાદિ પણ નાશવંત છે, અથવા પોતાના આયુષ્ય સુધી જ ભોગવાય છે. રૂપલાવણ્ય પણ વૃદ્ધાવસ્થા આવતાં કરમાય છે. સ્ત્રી ગમે તેવી રૂપવતી હોય તો પણ વૃદ્ધાવસ્થામાં તેના વાળ ધોળા થઈ જાય છે, દાંત પડી જાય છે, આંખે મોતિયો આવે છે, ચહેરા પર કરચલીઓ પડી જાય છે, વાંકા વળીને ચાલવું પડે છે અને “માજી” સંબોધનથી બોલાવાય છે કે “ડોસીમા' તરીકે ઓળખાય છે. રૂપ લાવણ્યના ગર્વનો થોડાં વર્ષમાં જ અંત આવી જાય છે. માટે આ બધી ભૌતિક સમૃદ્ધિનો ગર્વ કરવા જેવો નથી. પૂર્વના પુણ્યના ઉદયે, શુભ નામકર્મ, શાતા વેદનીય કર્મના ઉદયે એ બધું પ્રાપ્ત થાય છે. પણ એ માટે જો અભિમાન કરવામાં આવે તો અશુભ કર્મ બંધાય છે.
આત્માની સંપત્તિ અપાર છે. વળી તે નાશવંત નથી. આત્મા ચિદાનંદઘન છે. એટલે જ્ઞાન અને આનંદ વડે પરિપૂર્ણ છે. એવા આત્માને પરપર્યાયથી અભિમાન કરવાનું ક્યાંથી હોય ? પરપર્યાયમાં શરીર આવે. રૂપ લાવણ્ય, સ્વજનપરિવાર, ધન અને મકાન-મિલ્કત, વસ્ત્રાલંકાર, બાગબગીચા, બળદગાડાં, ઘોડાગાડી, મોટરગાડી કે હવાઈ જહાજ પણ આવે, વેપારઉદ્યોગ, નોકરચાકરો, અને દાસદાસીઓ પણ આવે. પરપર્યાયનો કોઈ અંત ન હોય. પણ આત્માના આનંદની તોલે આ બધા પરપર્યાયથી પ્રાપ્ત થતો પૂલ આનંદ આવી ન શકે. માટે તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે એનાથી લોભાવું ન જોઈએ. એક વખત દૃષ્ટિ અંતરમાં સ્થિર થવા લાગે, પછી આ બધા બાહ્ય પદાર્થો ફિક્કા લાગે અને સામાન્ય માણસોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org