________________
૧૮. અનાત્મશંસાષ્ટક
૨ ૪૯
એની પાછળ દોડતા જોઈને હસવું આવે, કરુણા ઊપજે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ
धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहिं चेव ।
समणा भविस्सामो गुणोहधारी बहिं विहारा अभिगम्य भिक्खं ।। [ધર્મરૂપી ધુંસરીને વહન કરવામાં ધન, વજન અને કામભોગોનું શું કામ છે ? અમે તો ભિક્ષાને મેળવીને પ્રતિબંધ રહિત વિહાર કરનારા અને ગુણના સમૂહને ધારણ કરનારા શ્રમણ થઈશું.] [૪૨] શુદ્ધ: પ્રત્યાત્મિસીન્ટેન પર્યાયા: પરિભાવિતા: |
अशुद्धाश्चापकृष्टत्वाद् नोत्कर्षाय महामुनेः ।। १८ ।। ६ ।। [શબ્દાર્થ શુદ્ધ=શુદ્ધ પ્રત્યાત્મસાન=દરેક આત્મા (પ્રતિ+માત્મ–પ્રત્યાત્મ)=માં સમાનપણે; પર્યાયા:=પર્યાયો; પરમવિતા:=વિચારેલા (શુદ્ધ નથી);
શુદ્ધ:=અશુદ્ધ, વિભાવપર્યાયો; ચ=અને; અપષ્ટત્વ=તુચ્છ હોવાથી; ન=નથી; ૩ષય ઉત્કર્ષ અર્થાત્ અભિમાન માટે; મહામુને =મહામુનિને.]
અનુવાદ-શુદ્ધ નયથી વિચારતાં શુદ્ધ પર્યાયો પ્રત્યેક આત્મામાં સમાન હોવાથી અને અશુદ્ધ નયથી વિચારતાં અશુદ્ધ પર્યાયો તુચ્છ હોવાથી મહામુનિને તે અભિમાન માટે થતાં નથી. (૬)
વિશેષાર્થઃ વ્યવહાર જગતમાં જેઓની પાસે કુટુંબ પરિવાર, ધન દોલત, રૂપસૌન્દર્ય, નોકર ચાકર, સાધનવાહન, યશકીર્તિ, સત્તામહત્તા, ઇત્યાદિ વધુ હોય તેવી વ્યક્તિ તે માટે ગર્વ કરે છે. પરંતુ જ્ઞાની જાણે છે આ બધો પુણ્યોદય છે, કર્મસત્તાનો ખેલ છે જે ખલાસ થતાં વાર નથી લાગતી. એટલે તત્ત્વની દૃષ્ટિથી જોઈએ તો જે વસ્તુ ભૌતિક છે, પુગલનો ખેલ છે, પરભાવ છે, અશુભ પર્યાય છે અને એથી જે વસ્તુ ક્ષણિક છે, નાશવંત છે એ માટે અભિમાન કરવું યથાર્થ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org