________________
૨૫૦
જ્ઞાનસાર
જેમ ગૃહસ્થો માટે તેમ સાધુઓ માટે પ્રસન્ન, પ્રભાવશાળી મુખમુદ્રા, શાસ્ત્રજ્ઞાન, સરસ વસ્તૃત્વકળા અને આકર્ષક વ્યાખ્યાનશૈલી, મોટા મોટા શ્રીમંત ભક્તો, રાજદ્વારી ક્ષેત્રની સમર્થ વ્યક્તિઓની વંદના, વિશાળ શિષ્યપરિવાર, મોટા મોટા ઉત્સવો અને એની રંગબેરંગી પત્રિકાઓ, બેન્ડવાજાં, વિશાળ મેદની ઇત્યાદિ પુણ્યોદયથી પ્રાપ્ત થયું છે, આ બધી પુદ્ગલની શોભા છે, કર્મસત્તાના ખેલ છે અને અનિત્ય છે. એનાથી પ્રભાવિત થઈને અભિમાન કરવા જેવું નથી, કારણ કે એ માટે કરેલું અભિમાન શાશ્વત નથી.
અહીં માત્ર શુભ કર્મના ઉદયની વાત છે. એમાં કોઈકનો પુણ્યોદય વધારે અને કોઈકનો ઓછો હોય છે. એટલે પોતાનો પુણ્યોદય બીજા કરતાં વધારે હોય તો તે માટે અભિમાન કરવા જેવું નથી. કારણ કે એ સર્વ વિભાવ દશા છે, પર પર્યાય છે. વળી પોતાનો પુણ્યોદય એકસરખો રહ્યા કરે કે વૃદ્ધિ પામે એવું હંમેશાં બધાને માટે બનતું નથી. એમાં પણ વૃદ્ધિ-હાનિ રહ્યા કરે છે. એટલે પણ નાશવંત પરપર્યાય માટે ગર્વ કરવો તે જ્ઞાની મહાત્મા માટે યોગ્ય નથી.
બીજી બાજુ પોતાના આત્માના શુદ્ધ પર્યાય શાશ્વત હોય તો એમાં પણ ગુમાન કરવા જેવું નથી, કારણ કે જગતના સર્વ જીવોના આત્મપ્રદેશો સરખા છે. અને શુદ્ધ પર્યાયો પણ સરખા છે. નિગોદના જીવથી માંડીને સિદ્ધપરમાત્મા સુધી દરેકનો શુદ્ધાત્મા એકસરખો છે. એક પ્રદેશ જેટલી પણ એમાં ન્યૂનાધિકતા હોતી નથી. જો સર્વ સમાન હોય તો તેમાં પછી ગર્વ કરવા જેવું ક્યાં રહ્યું ?
એટલે તત્ત્વના જાણકાર જ્ઞાની મુનિ મહાત્માઓ કોઈ વાતે અભિમાન કરતા નથી. [૧૪૩] લોર્મ છિન્ સોડપિ સ્વાર્ષવિનેતિઃ
गुणौघान् बुद्बुदीकृत्य विनाशयसि किं मुधा ।। १८ ।।७।। [શબ્દાર્થ ઃ લોખં=ક્ષોભને, વ્યાકુળતાને; નચ્છન=પામત; સમુદ્રોડજિ=સમુદ્ર સમુદ્ર=મર્યાદાસહિત પણ; સ્વોર્વપરિત:=પોતાના ઉત્કર્ષ (અભિમાન) રૂપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org