SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨૪૫ [૧૩૯] સ્વિતા હિતાય યુ: પર: 4પુરક્ષય: I રહો સ્વયં ગૃહીતાતુ પાતતિ ભવોથી ૨૮ / રૂ II [શબ્દાર્થ માન્વિત=ગ્રહણ કરેલા; હિતાવ=હિત માટે; યુ =થાય છે; પરે =બીજાઓએ; સ્વાદ પોતાના ગુણરૂપી; ૨૨મ્ય =દોરડાંઓ; મહો=અહો ! સ્વયં=પોતે; પૃહીતાસ્તુ=પરંતુ ગ્રહણ કરેલા તે; પાતયન્ત પાડે છે; ભવો=ભવરૂપી ઉદધિમાં, સમુદ્રમાં.] અનુવાદ–બીજાઓએ આલંબન કરેલાં પોતાના ગુણરૂપી દોરડાંઓ હિતને માટે થાય છે, પરંતુ અહો આશ્ચર્ય છે કે પોતે જો તે ગ્રહણ કરે તો તે સંસારરૂપ સમુદ્રમાં પાડે છે. (૩) વિશેષાર્થ પોતાના ગુણોની સ્વમુખે પ્રશંસા કરવી અને કોઈ આપણા ગુણોની પ્રશંસા કરે એ બેનું પરિણામ કેવું પરસ્પર ભિન્ન આવે છે તે અહીં બતાવ્યું છે. ગુણ એના એ જ, પરંતુ એનું કોણ કથન કરે છે એ મહત્ત્વનું છે. પોતાનામાં સહજ ગુણો હોય અથવા ગુણપ્રાપ્તિ થાય પછી એનો હર્ષોલ્લાસ એવો લોભામણો છે કે માણસથી જાણતાં-અજાણતાં તેની વાત થઈ જાય છે. ક્યાંક સમુદાયમાં કોઈક આપણી ઉદારતા અથવા આપણા અમુક ગુણ વિશે બોલવાનું ચૂકી જાય છે ત્યારે આપણે કહેવું કે ન કહેવું એવી વિમાસણભરી નાજુક સ્થિતિ ઊભી થાય છે અને ચિત્ત સંયમમાં રહી શકતું નથી. પોતાના ગુણોની નોંધ લેવા માટે તરત વાત થાય છે, ક્યારેક આગ્રહ પણ થાય છે. દોષોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત ગુણોની વાત કરીએ તો પણ આત્મશ્લાઘા સમાજમાં નિંદનીય ગણાય છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ તે પોતાનો ગુણોનો ઘાત કરનારી છે. અહીં ગુણને માટે “રશ્મિ' અર્થાત્ દોરીનું રૂપક આપવામાં આવ્યું છે. (‘ગુણ” શબ્દનો એક અર્થ દોરી થાય છે.) પોતાના ગુણરૂપી દોરી એવી છે કે એ પકડીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy