SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જ્ઞાનસાર સ્વોષન્મ=પોતાના ઉત્કર્ષરૂપ પાણીના પ્રવાહ:=પ્રવાહથી; પુળ્યાનિ પુણ્યોરૂપી; પ્રકીર્વ=પ્રગટ કરતો; નં-ફળ; ત્રિશું; સમવાસ્થસિ=પામીશ.] અનુવાદ-કલ્યાણરૂપી વૃક્ષના પુયરૂપી મૂળિયાને પોતાના ઉત્કર્ષરૂપી પાણીના પ્રવાહથી પ્રગટ કરતો તું શું ફળ મેળવીશ? (૨) વિશેષાર્થ સાધકે આત્મપ્રશંસા ન કરવી જોઇએ એ અંગે અહીં એક સરસ રૂપક દ્વારા સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. કલ્યાણરૂપી વૃક્ષને આપણે વાવ્યું છે. એ વૃક્ષનાં પુણ્યરૂપી મૂળિયાં જરાક ઊંડાં ગયાં છે. હજુ વૃક્ષનું ફળ આપણને મળ્યું નથી. હવે એ વખતે આપણે આત્મશ્લાધારૂપી પાણી એ મૂળિયાં ઉપર ધોધની જેમ રેડીએ તો એથી આસપાસની માટી ધોવાઈ જશે અને મૂળિયાં બહાર દેખાવા લાગશે. જમીનનો આધાર ન મળતાં મૂળિયાં ઢીલાં પડશે અને કલ્યાણવૃક્ષ જમીનદોસ્ત થઈ જશે. પડી ગયેલું વૃક્ષ પછી સુકાઈ જશે. તે ફળ નહિ આપી શકે. એટલે જો આત્મકલ્યાણરૂપી વૃક્ષનાં ફળ જોઇતાં હોય તો વૃક્ષની માવજત કરવી જોઈશે. આપણા સુકૃતરૂપી મૂળિયાં જમીનમાં ઊંડાં જવાં જોઈએ અને બહાર દેખાવાં ન જોઈએ. તે દટાયેલાં, ગુપ્ત રહેવા જોઈએ. માણસને પોતાની પ્રશંસા સાંભળવી અને કરવી ગમે છે. પોતાના દોષો કોઈ બતાવતું હોય તો તે ગમતું નથી. કેટલીક વાર માણસથી પોતાની પ્રશંસા કર્યા વગર રહેવાતું નથી. એનું અભિમાન છલકાય છે. કેટલીક વખત બીજાના દોષો બતાવીને, નિંદા કરીને તે પોતાની ઉચ્ચતા સિદ્ધ કરવા આતુર બને છે. સ્વપ્રશંસાથી રાજી થવાય છે, આનંદ થાય છે, પણ તે અલ્પકાલીન હોય છે. સરવાળે તે નુકસાનકારક છે. તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો એ માનકષાયની પ્રવૃત્તિ છે એટલે કે પાપરૂપ છે, અશુભ કર્મ બંધાવનારી છે. એટલા માટે માણસે, વિશેષતઃ સાધકે આત્મપ્રશંસાના અનિષ્ટથી દૂર રહેવું જોઈએ. કહ્યું છે, “ધર્મ ક્ષતિ કીર્તના'-પોતાના કીર્તનથી એટલે કે આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy