________________
૧૮. અનાત્મશંસાષ્ટક
૨૪૩
ધરાવતા નથી. તેઓ તો સહજ ઘટના બની હોય તેમ રહે છે.
આધ્યાત્મિક ગુણો માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ તર્કયુક્ત કથન કર્યું છે. તેઓ મુનિરાજને કહે છે કે જો તમે ગુણોથી પરિપૂર્ણ ન હો, અને તમે તમારા ગુણોની પ્રશંસા કરી તો તે અસત્ય ઠરશે, અયોગ્ય ગણાશે અને હાંસીપાત્ર લાગશે. બીજી બાજુ જો તમે કદાચ ગુણોથી પરિપૂર્ણ હો, તો તમારે તમારા મુખે પ્રશંસા કરવાની શી જરૂર ? લોકો એની મેળે જાણશે. આમ, બંને રીતે તમારે તમારાં વખાણ કરવાની આવશ્યકતા નથી.
વસ્તુતઃ અધ્યાત્મક્ષેત્રે આત્મશ્લાધા એ ગુણ નહિ, પણ દુર્ગુણ મનાયો છે. વર્તમાન જગતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનાં માલ-ઉત્પાદનનાં સાચાં ખોટાં વખાણ પોતે જ કરવાં પડે એવી હવા ઊભી થઈ છે. આ હવાનો પ્રભાવ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત ધાર્મિક ક્ષેત્રો ઉપર પણ પડ્યો છે. પરંતુ જેઓને પોતાના ગુણોને પ્રગટાવતા જઈ આત્મદશા નિર્મળ કરવી છે તેઓને આવી કોઈ વાત સ્પર્શતી નથી.
વળી, આપણે એ ભૂલવું ન જોઈએ કે આત્મશ્લાઘાથી હલકું ગોત્રકર્મ બંધાય છે. એ સમજથી પણ આપણે આપવખાણ, કે આપવડાઈ વગેરે ન કરવાં જોઈએ. વાચક શ્રી ઉમાસ્વાતિએ કહ્યું છેઃ
आत्मोत्कर्षाच्च बध्यते कर्म नीचैर्गोत्रं ।
प्रतिभवमनेक भवकोटिदुर्मोचम् ।। [આત્મોત્કર્ષ અર્થાત્ આત્મપ્રશંસાથી નીચ ગોત્રનું કર્મ બંધાય છે, જેમાંથી કરોડો ભવે પણ છૂટવું દુષ્કર છે.] [૧૩૮] શ્રેયોમસ્થ મૂતાનિ વોર્ષ: પ્રવીહતિઃ |
પુળ્યાનિ પ્રદીપુર્વ નં સિમવાસ્થય ા ૨૮ ૫ ૨ [શબ્દાર્થ : શ્રેય કલ્યાણ; ડ્રમ વૃક્ષના મૂતાન=મૂળિયાને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org