________________
૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક
૨ ૮૫
जइ उवसंत कसाओ लहइ अणंत पुणो वि पडिवायं ।
न हु मे वीससियव्वं थोवे वि कसायसेसंमि॥ [જેમના બધા કષાયો ઉપશમભાવને પામ્યા છે તે ફરીથી પણ અનંતવાર નીચે પડી જાય છે. તો થોડા પણ કષાય બાકી હોય ત્યાં સુધી તેનો વિશ્વાસ કરવા યોગ્ય નથી.]
अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च ।
न हु भे वीससियव्वं थोवं पि हु तं वहु होइ॥ [ઋણ થોડું હોય, વ્રણ (ઘા) થોડો હોય, અગ્નિ થોડો હોય અને કષાય પણ થોડો હોય, તો પણ તેનો વિશ્વાસ ન કરવો, કારણ કે થોડો હોય તો પણ ઘણો થાય છે.]
दासतं देइ रिणं अइरा मरणं वणो विसप्पंतो।
सव्वस्सदाहमग्गी दिति कसाया भवमणंतं ॥ [દેવું (2ઋણ) થોડું હોય તો પણ તે દાસ બનાવે છે, વૃદ્ધિ પામતો ઘા (ત્રણ) થોડા સમયમાં મૃત્યુ પમાડે છે. અગ્નિ સર્વસ્વ બાળી નાખે છે અને કષાયો અનંતા ભવ કરાવે છે.]
એટલા માટે કહ્યું છે કે કર્મના ઉદય વખતે પોતાની આત્મચેતનાને કર્મને આધીન કરવાયોગ્ય નથી. કર્મનો ઉદય હોય તે વખતે પોતાની ચેતનાને કર્મને આધીન ન કરતાં પોતાના ક્ષયોપશમ સ્વરૂપને અનુસરનારી કરવી જોઈએ. કર્મનો વિપાક થાય તો તે જીવને નીચે પડવામાં કે નવાં કર્મ બાંધવામાં કારણરૂપ નથી. પરંતુ જીવ પોતે પોતાની ચેતનાને અને પોતાના વીર્યને મોહના ઉદયને અનુકૂળ કરે તો તે કર્મબંધના હેતુરૂપે થતાં પરિણામને અટકાવવા જોઇએ. કર્મનો વિપાક અર્થાત્ ઉદય આત્માના ગુણોને આવરે છે, પણ તે બંધનો હેતુ ન થઈ શકે. જો કર્મનો પ્રત્યેક ઉદય બંધના હેતુરૂપ થાય તો પછી આત્માની શક્તિની પ્રવૃત્તિ ક્યાં રહી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org