________________
જ્ઞાનસાર
શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી' ટીકામાં કહ્યું છેઃ “કેટલાક મુનિઓ નિશ્ચય રત્નત્રયીના પરિણામથી તીવ્ર ક્ષયોપશમભાવ વડે સાધનને અવલંબી, અપૂર્વ કરણના બળથી ઉપશમચારિત્રના પરિણામરૂપ ઉપશમશ્રેણીને પ્રાપ્ત થઈ, ઉપશાન્તમોહ નામના અગિયારમાં ગુણસ્થાનકે, સર્વથા મોહના ઉદયથી રહિત થયેલા, પણ સત્તામાં રહેલા અને ઉદયાવસ્થાને પ્રાપ્ત થયેલા મોહથી અથવા આયુષ્ય પૂરું થવાથી ત્યાંથી પડીને અહો ચાર ગતિરૂપ અનંત સંસારમાં ભમે છે.”
જે મહાત્માઓ ક્ષપકશ્રેણિ માંડે છે તેઓ દસમા ગુણસ્થાનકથી સીધા “ક્ષીણમોહ” નામના બારમા ગુણસ્થાનકે જાય છે. તેઓ અગિયારમા ગુણસ્થાનકે જતા નથી. એટલે તેઓને પાછા નીચે પડવાનો કોઈ પ્રશ્ન નથી. તેઓ કેવળજ્ઞાન પામી છેવટે મોક્ષગતિ પ્રાપ્ત કરે છે.
જીવ અગિયારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાનકેથી અચૂક નીચે પડે છે. એનો આત્મસ્થિરતાનો પુરુષાર્થ મંદ પડે છે. તે કર્મના ઉદયભાવમાં જોડાય છે. એટલે એને નીચે પાડનાર તે કર્મ છે. એટલે જ એવા કર્મને અહીં ઉપાધ્યાયજી મહારાજે દુષ્ટ તરીકે ઓળખાવ્યું છે. ઉપશમશ્રેણિએ ચડેલા બધા જ જીવો નિગોદમાં જ જાય એવું નથી. ઉપશમશ્રેણિને પ્રાપ્ત થયેલા મુનિઓ વચ્ચે આયુષ્યનો ક્ષય થવાથી ઉપશમશ્રેણિથી પડીને અનુત્તર વિમાનવાસી દેવ થાય છે. તેમનું સાત લવ' જેટલું આયુષ્ય ઓછું હોવાથી તેઓ લવસત્તમ દેવો કહેવાય છે. [૧૬૬] ગર્વસર્વાધિ સામગ્રી શાસ્તવ પરિતિષ્ઠતિ .
વિપવિ: વર્મા: વાર્યપર્ધામનુઘાર્વતિ પારાદ્દા [શબ્દાર્થ =બીજી; સર્વ પિ=બધી ય સામગ્રી=સામગ્રી, કાન્તવ થાકેલાની જેમ; પતિષ્ઠતિ=ઊભી રહે છે; વિપવિત્ર:=વિપાક; વન=કર્મનો; #ાર્યપર્યન્ત કાર્યના અંત સુધી; અનુયાવતિ=પાછળ દોડે છે.. અનુવાદઃ બીજી બધી ય સામગ્રી થાકેલાની જેમ ઊભી રહે છે. કર્મનો વિપાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org